Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસનાં પ્રણિતી શિંદે મુશ્કેલીમાં મુકાશે?

કૉન્ગ્રેસનાં પ્રણિતી શિંદે મુશ્કેલીમાં મુકાશે?

29 April, 2024 07:24 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોપ મૂક્યો કે કેન્દ્ર સરકારે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતવા માટે પુલવામામાં હુમલો કરાવ્યો હતો

પ્રણિતી શિંદે

પ્રણિતી શિંદે


કૉન્ગ્રેસનાં સોલાપુર લોકસભા બેઠકનાં ઉમેદવાર પ્રણિતી શિંદેએ શનિવારે જાહેર ભાષણમાં કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે ‘જ્યારે આ લોકોને સમજાય છે કે ચૂંટણીમાં પોતાની સ્થિતિ સારી નથી ત્યારે એ જાતિ-જાતિ વચ્ચે ભેદભાવ ઊભો કરે છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી સમયે જ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આપણા સૈનિકોની ટુકડી પર હુમલો કરાવવામાં આવ્યો હોવાનું એક અધિકારીએ કહ્યું છે. આ લોકો ચૂંટણી જીતવા માટે આપણા સૈનિકોનું લોહી પણ વહેવડાવી શકે છે.’

પ્રણિતી શિંદેના આ નિવેદન સામે ભારતીય જનતા પાર્ટી (BJP)એ વાંધો લઈને ઇલેક્શન કમિશનમાં ફરિયાદ નોંધાવી છે. આથી પ્રણિતી શિંદેની મુશ્કેલી વધી શકે છે. ૨૦૧૯ની ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં ભારતીય સેનાની બસ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK