Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામનાં કપાટ આજથી ખૂલશે

યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામનાં કપાટ આજથી ખૂલશે

10 May, 2024 08:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦ ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું છે કેદારનાથ ધામ

કેદારનાથ ધામને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.

કેદારનાથ ધામને ફૂલોથી શણગારવામાં આવ્યું છે.


હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર મનાતાં ચાર ધામની યાત્રાની આજથી શરૂઆત થશે અને દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલાં યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામનાં કપાટ આજે અક્ષય તૃતીયાના દિવસથી ભક્તો માટે ખુલ્લાં મુકાશે. શિયાળામાં આ મંદિરો બંધ રહે છે. કેદારનાથ અને યમુનોત્રી મંદિરનાં કપાટ સવારે ૭ વાગ્યે ખૂલશે, જ્યારે ગંગોત્રી ધામનાં કપાટ બપોરે ૧૨.૨૦ વાગ્યે ખોલવામાં આવશે. બીજી તરફ ચારધામના ચોથા ધામ બદરીનાથ ધામનાં કપાટ ૧૨ મેના સવારે ૬ વાગ્યે ખોલવામાં આવશે.  કેદારનાથ ધામને ૨૦ ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું છે. બાબા કેદારની પંચમુખી મૂર્તિ લઈને ઉખીમઠના ઓમકારેશ્વરથી યાત્રા ગઈ કાલે કેદારનાથના માર્ગમાં ગૌરીકુંડ પહોંચી હતી જે આજે સવારે કેદારનાથ ધામ પહોંચશે. કપાટ ખૂલતાં જ આ મૂર્તિને મંદિરમાં વિધિવિધાનથી સ્થાપિત કરવામાં આવશે.





Whatsapp-channel Whatsapp-channel

10 May, 2024 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK