Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અજિત ડોભાલ અને એસ. જયશંકરને નરેન્દ્ર મોદીએ ચોખ્ખું કહેલું, પાકિસ્તાન સાથે આપણી શરતે જ યુદ્ધવિરામ થશે

અજિત ડોભાલ અને એસ. જયશંકરને નરેન્દ્ર મોદીએ ચોખ્ખું કહેલું, પાકિસ્તાન સાથે આપણી શરતે જ યુદ્ધવિરામ થશે

Published : 11 May, 2025 08:40 AM | Modified : 12 May, 2025 06:59 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન સામે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી રોકવા માટે ભારતે પોતાની શરતોએ સહમતી દર્શાવી હતી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


પાકિસ્તાન સામે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી રોકવા માટે ભારતે પોતાની શરતોએ સહમતી દર્શાવી હતી. આ મુદ્દે સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલ અને વિદેશપ્રધાન એસ. જયશંકરને સ્પષ્ટ કહ્યું હતું કે આપણી શરતો પર યુદ્ધવિરામની વાત થશે. ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના NSA અને ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના ચીફ અસીમ મલિકે ભારતીય NSA અજિત ડોભાલ સાથે વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.


જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ NSA ડોભાલ અને વિદેશપ્રધાન એસ. જયશંકર બન્નેને સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ યુદ્ધવિરામ ફક્ત આપણી શરતો પર જ આગળ વધશે. આ જાહેરાત પહેલાં ઘણા દિવસો સુધી અજિત ડોભાલ અને એસ. જયશંકર તેમના અમેરિકી સમકક્ષો સાથે યુદ્ધવિરામ પ્રક્રિયા વિશે વાટાઘાટોમાં રોકાયેલા હતા. વાટાઘાટો દરમ્યાન તેમણે વડા પ્રધાન મોદીને અપડેટ રાખ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2025 06:59 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK