Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેદારનાથ અને બદરીનાથ ધામમાં બિનહિન્દુઓના પ્રવેશ પરનો પ્રતિબંધ ફાઇનલ

કેદારનાથ અને બદરીનાથ ધામમાં બિનહિન્દુઓના પ્રવેશ પરનો પ્રતિબંધ ફાઇનલ

Published : 12 March, 2026 02:54 PM | IST | Kedarnath
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બજેટમાં કુલ અંદાજિત ખર્ચ અંદાજિત આવક સામે લગભગ ૯૯.૪૫ કરોડ રૂપિયા છે.

કેદારનાથ અને બદરીનાથ

કેદારનાથ અને બદરીનાથ


શ્રી બદરીનાથ કેદારનાથ ટેમ્પલ કમિટી (BKTC)એ મંગળવારે કેદારનાથ અને બદરીનાથ ધામ સહિત એના અધિકારક્ષેત્ર હેઠળનાં ૪૫ મંદિરોમાં બિનસનાતનવાદીઓ (બિનહિન્દુઓ)ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ પસાર કર્યો હતો. BKTCના પ્રમુખ હેમંત દ્વિવેદીએ યોજેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સમિતિએ એપ્રિલ મહિનાથી શરૂ થનારી આગામી ચારધામ યાત્રા માટે ૧૨૧.૦૭ કરોડ રૂપિયાથી વધુના બજેટને પણ મંજૂરી આપી હતી. બજેટની યોજનાના ભાગરૂપે શ્રી બદરીનાથ ધામ માટે ૫૭.૪૭ કરોડ રૂપિયા અને શ્રી કેદારનાથ ધામ માટે ૬૩.૬૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. બજેટમાં કુલ અંદાજિત ખર્ચ અંદાજિત આવક સામે લગભગ ૯૯.૪૫ કરોડ રૂપિયા છે.
આ સિવાય કમિટીએ મંદિર વિસ્તારોમાં નિર્ધારિત અંતરે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 02:54 PM IST | Kedarnath | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK