Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશના બંધારણમાં સમયની સાથોસાથ બદલાવ કરવો એ પ્રગતિની નિશાની

દેશના બંધારણમાં સમયની સાથોસાથ બદલાવ કરવો એ પ્રગતિની નિશાની

17 April, 2024 08:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અરુણ ગોવિલે નોતર્યો વિવાદ

અરુણ ગોવિલ

અરુણ ગોવિલ


ભારતીય જનતા પાર્ટી (BJP)ના મેરઠ-હાપુડ મતદારસંઘના ઉમેદવાર અને ‘રામાયણ’ ધારાવાહિકમાં રામનું પાત્ર ભજવીને જાણીતા થયેલા ઍક્ટર અરુણ ગોવિલે બંધારણમાં સમય સાથે બદલાવ કરવો એ પ્રગતિની નિશાની છે એવું નિવેદન કરતાં વિવાદ થયો છે. આ પહેલાં ઉત્તર પ્રદેશમાં ફૈઝાબાદના સિટિંગ સંસદસભ્ય અને BJPના નેતા લલ્લુ સિંહે કહ્યું હતું કે બંધારણમાં સુધારો કરવા બે-તૃતીયાંશ બહુમતીની જરૂર છે.

બે-ત્રણ દિવસ પહેલાં અરુણ ગોવિલે એમ કહ્યું હતું કે ‘બંધારણ ઘડાયું ત્યાર બાદ એમાં સમય આવ્યે સુધારા કરવામાં આવ્યા છે. બંધારણમાં સમય સાથે બદલાવ કરવો એ પ્રગતિની નિશાની છે. પહેલાંની પરિસ્થિતિ અલગ હતી અને હવે ભારતમાં નવી પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે એમાં એક વ્યક્તિના વિચારથી નહીં પણ સર્વસંમતિથી આવશ્યક એવા બદલાવ કરી શકાય.’
અરુણ ગોવિલના આ વક્તવ્યનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ મુદ્દે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોશ્યલ મીડિયા પર કહ્યું હતું કે BJP એવા લોકોને ટિકિટ આપે છે જેઓ બંધારણના આત્માને પણ સમજતા નથી, તેમને ખબર જ નથી કે કયો બદલાવ વિકાસ માટે કરવામાં આવે છે અને કયા સંશોધનથી મૌલિક અધિકાર છીનવી લેવાનો પ્રયાસ થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2024 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK