Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > “પ્લેલિસ્ટ ડિલીટ કરી દો, પણ મારા વિચારો નહીં બદલાય”, અરિજિત સિંહે શું કહ્યું?

“પ્લેલિસ્ટ ડિલીટ કરી દો, પણ મારા વિચારો નહીં બદલાય”, અરિજિત સિંહે શું કહ્યું?

Published : 22 July, 2026 09:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અરિજિત સિંહના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી. ઘણા લોકોએ તેનું સમર્થન કર્યું. જ્યારે કેટલાક યુઝર્સે તેની ટીકા પણ કરી. આ દરમિયાન એક નારાજ ચાહકે લખ્યું કે હવે તેને અરિજિત સિંહ માટે પહેલો જેવો માન રહ્યો નથી.

અરિજિત સિંહ

અરિજિત સિંહ


બૉલિવૂડ સિંગર અરિજિત સિંહે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર થયેલી હિંસાની તેણે ટીકા કરી. આ મુદ્દે એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે હવે તેને અરિજિત સિંહ માટે પહેલો જેવો માન રહ્યો નથી. આ ટિપ્પણીનો અરિજિત સિંહે પણ જોરદાર જવાબ આપ્યો. દિલ્હીમાં 20 જુલાઈ, 2026ના રોજ CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ સામે થયેલી હિંસાને લઈને દેશભરમાં વિરોધ વધી રહ્યો છે. આ દરમિયાન ગાયક અરિજિત સિંહે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે યુનિફોર્મમાં રહેલા સુરક્ષા કર્મચારીઓના વર્તનની ટીકા કરતાં કહ્યું કે તેઓએ ગુંડાઓની જેમ વર્તન કર્યું. અરિજિતની આ પોસ્ટથી એક ચાહક નારાજ થયો અને લખ્યું કે હવે તેને અરિજિત માટે પહેલા જેવો માન રહ્યો નથી. આના જવાબમાં અરિજિત સિંહે કડક શબ્દોમાં કહ્યું કે જો એવું હોય તો તેની પ્લેલિસ્ટ ડિલીટ કરી દો.

પ્રદર્શનકારીઓ પર થયેલી હિંસા સામે અરિજિત સિંહનો ગુસ્સો



21 જુલાઈએ અરિજિત સિંહે X પર એક પોસ્ટ શૅર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેણે લખ્યું, "અરે યાર, હવે તો અહીં વિદ્યાર્થીઓને પણ મારવામાં આવી રહ્યા છે. હેલ્લો નેતા, મંત્રી! હેલ્લો દિલ્હી પોલીસ, તમને શરમ નથી આવતી? આ શું ચાલી રહ્યું છે? શું તમે પોતાને ભગવાન સમજી લીધા છો? દરેક વાત યાદ રાખવામાં આવશે. હર હર મહાદેવ! યાદ રાખજો, બદલાવ જ એકમાત્ર કાયમી સત્ય છે."


ચાહકે કહ્યું માન ગુમાવી દીધું, અરિજિતે આપ્યો કરારો જવાબ

અરિજિત સિંહના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી. ઘણા લોકોએ તેનું સમર્થન કર્યું. જ્યારે કેટલાક યુઝર્સે તેની ટીકા પણ કરી. આ દરમિયાન એક નારાજ ચાહકે લખ્યું કે હવે તેને અરિજિત સિંહ માટે પહેલો જેવો માન રહ્યો નથી. તેના જવાબમાં અરિજિતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું,"તમે મારી બધી પ્લેલિસ્ટ ડિલીટ કરી શકો છો અને મને ભૂલી શકો છો, પરંતુ તેનાથી મારા વિચારો બદલાશે નહીં." અરિજિતના આ જવાબની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ. ઘણા લોકોએ તેને અભિવ્યક્તિની સ્વતંત્રતાના સમર્થન તરીકે જોયો.જ્યારે કેટલાક લોકોએ આ મુદ્દે અલગ મત પણ વ્યક્ત કર્યો.


અનફોલો કરવાની વાત પર પણ અરિજિત સિંહ અડગ રહ્યા

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે અરિજિત સિંહને અનફોલો કરવાની અને તેના ગીતોનો બહિષ્કાર કરવાની વાત કરી. જોકે, અરિજિતે આ પ્રતિક્રિયાઓનો પણ સ્પષ્ટ અને બેધડક જવાબ આપ્યો. તેણે કહ્યું કે જો કોઈ તેના વિચારો સાથે સહમત ન હોય, તો તે તેની પ્લેલિસ્ટ ડિલીટ કરી શકે છે અથવા તેમના ગીતો સાંભળવાનું બંધ કરી શકે છે. પરંતુ તેનાથી તેનામાં કોઈ ફેરફાર નહીં આવે.

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2026 09:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK