Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રતન તાતા જીવતા હોત તો દુખી પરિવારોએ આ વેઠવું ન પડત

રતન તાતા જીવતા હોત તો દુખી પરિવારોએ આ વેઠવું ન પડત

Published : 12 August, 2025 11:47 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વળતરમાં વિલંબ બદલ ઍર ઇન્ડિયાને અમેરિકાના વકીલનો ટોણો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI171ની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા આશરે ૬૫થી વધારે પરિવારોનું પ્રતિનિધિત્વ કરનારા અમેરિકન વકીલ માઇક ઍન્ડ્રુઝે વળતર આપવામાં વિલંબ બદલ ઍર ઇન્ડિયાની ટીકા કરી હતી. તેમણે તાતા ગ્રુપના ભૂતપૂર્વ અધ્યક્ષ રતન તાતાને યાદ કરીને કહ્યું હતું કે ‘જો રતન તાતા જીવતા હોત તો આવી પરિસ્થિતિ ન સર્જાત. આવી અટપટી પ્રક્રિયા અસ્તિત્વમાં જ ન હોત. તેમની હાજરી શોકગ્રસ્ત પરિવારોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એને દૂર કરી શકી હોત.’

અમેરિકામાં પણ અમે જાણીએ છીએ કે રતન તાતા કોણ હતા એવું કહેતાં માઇક ઍન્ડ્રુઝે જણાવ્યું હતું કે ‘અમે તેમની નીતિ અને નમ્રતા તથા કર્મચારીઓની સંભાળ રાખવાની તેમની પ્રતિબદ્ધતા વિશે જાણીએ છીએ. જો તેઓ આજે હયાત હોત તો અમે માનતા નથી કે વળતરની ચુકવણી માટે આવી અમલદારશાહી જેવી અટપટી પ્રક્રિયા કરવામાં આવી હોત. ચુકવણીમાં આટલો વિલંબ ન થયો હોત.’


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2025 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK