Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દરિયામાં અસ્થિ પધરાવવા ગયેલા બે જણ તણાઈ ગયા, એક બચ્યો

દરિયામાં અસ્થિ પધરાવવા ગયેલા બે જણ તણાઈ ગયા, એક બચ્યો

Published : 29 June, 2025 09:11 AM | Modified : 30 June, 2025 06:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માછીમાર અને પોલીસની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક નાયર હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં સંતોષ વિશ્વેશ્વર અને કુણાલ કોકાટેને ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હાજી અલી પર લોટસ જેટી પાસે અસ્થિવિસર્જન કરવા આવેલી બે વ્યક્તિઓ તણાઈ જતાં તેમનો જીવ ગયો હતો, જ્યારે એક વ્યક્તિને બચાવવામાં સફળતા મળી હતી જેની સારવાર ચાલી રહી છે.


પોલીસે જણાવ્યું હતું કે ‘શનિવારે સાંજે ૫.૪૦ વાગ્યે સંતોષ વિશ્વેશ્વર, કુણાલ કોકાટે અને સંજય સર્વણકર નામની ત્રણ વ્યક્તિઓ લોટસ જેટી નજીક અસ્થિવિસર્જન માટે આવી હતી. દરમ્યાન તેઓ દરિયામાં તણાઈ ગયા હતા. માછીમાર અને પોલીસની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક નાયર હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં સંતોષ વિશ્વેશ્વર અને કુણાલ કોકાટેને ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. સંજય સર્વણકરની સારવાર કર્યા બાદ તેની તબિયત સુધારા પર હોવાનું ડૉક્ટરે ઉમેર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK