Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિર્ડીના સાંઈ પ્રસાદાલયમાં ભોજન માટે આજથી ટોકન-સિસ્ટમ શરૂ

શિર્ડીના સાંઈ પ્રસાદાલયમાં ભોજન માટે આજથી ટોકન-સિસ્ટમ શરૂ

Published : 06 February, 2025 08:58 AM | IST | Shirdi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક અંદાજ મુજબ પ્રસાદાલયમાં દરરોજ પચાસ હજાર લોકો મફતમાં ભોજન કરે છે.

શિર્ડીના પ્રસાદાલયમાં જવા માટેનું ટોકન લેવા માટે સૂચના આપવામાં આવી છે.

શિર્ડીના પ્રસાદાલયમાં જવા માટેનું ટોકન લેવા માટે સૂચના આપવામાં આવી છે.


શિર્ડીમાં આવેલા સાંઈબાબાના મંદિરના સાંઈ પ્રસાદાલયમાં ફ્રી ભોજન આપવામાં આવે છે એને કારણે ગુનેગારોની સંખ્યામાં વધારો થયો હોવાનો ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સંસદસભ્ય સુજય વિખે-પાટીલે કરેલા આરોપ તેમ જ બે દિવસ પહેલાં સાંઈ સંસ્થાનના બે કર્મચારીઓની લૂંટના ઇરાદે કરવામાં આવેલી હત્યાને પગલે સાંઈ સંસ્થાને પ્રસાદાલયના નિયમમાં ફેરફાર કર્યો છે. આજથી સાંઈ પ્રસાદાલયમાં ભોજન લેવા માટે ટોકનની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. એક અંદાજ મુજબ પ્રસાદાલયમાં દરરોજ પચાસ હજાર લોકો મફતમાં ભોજન કરે છે.

સાંઈબાબાનાં દર્શન કરીને મંદિરની બહાર નીકળતા ભક્તોને પ્રસાદ આપવાની સાથે સાંઈ પ્રસાદાલયમાં ભોજન કરવા માટેનું ટોકન આપવામાં આવશે. જોકે કોઈ પણ પ્રકારનો નશો કરીને, સિગારેટ પીને કે તંબાકુ ખાઈને સાંઈબાબાનાં દર્શન કરનારાઓને પ્રસાદાલયમાં ભોજન કરવા માટેનું ટોકન નહીં આપવામાં આવે. સાંઈ સંસ્થાનના આ પગલાથી અસામાજિક તત્ત્વો સાંઈ પ્રસાદાલયમાં નહીં જઈ શકે. પરિણામે ગુનાખોરી નિયંત્રણમાં આવશે એવો દાવો સાંઈ સંસ્થાનના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ગોરક્ષ ગાડીલકરે કહ્યું હતું. શિર્ડીમાં ઘણાં અસામાજિક તત્ત્વો મફતનું ભોજન કરીને નશાની હાલતમાં ત્યાં જ પડ્યા-પાથર્યા રહે છે એટલું જ નહીં, ત્યાર બાદ તેઓ નાના-મોટા ગુના પણ કરતા હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2025 08:58 AM IST | Shirdi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK