Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ત્રણ ​મહિને ભાઈ, બહેન-બનેવી સામે સુસાઇડ માટેનો કેસ નોંધાયો

ત્રણ ​મહિને ભાઈ, બહેન-બનેવી સામે સુસાઇડ માટેનો કેસ નોંધાયો

Published : 22 December, 2023 07:30 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

ઠાકુરદ્વારના વિલાસ શાસ્ત્રીએ સપ્ટેમ્બરમાં આત્મહત્યા કરી હતી, પણ પોલીસે હવે ત્રણ સામે આપઘાત કરવા ઉશ્કેરવાની ફરિયાદ નોંધી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ એલટી માર્ગ વિસ્તારમાં આશરે ત્રણ મહિના પહેલાં ૫૮ વર્ષની એક વ્યક્તિએ કીટકનાશક દવા પીને આત્મહત્યા કરી હતી, જે બાદ પ્રાથમિક માહિતી પ્રમાણે પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે ઘરનું પંચનામું કરતાં પોલીસના હાથે એક ચિઠ્ઠી લાગી હતી જેમાં મરનાર વ્યક્તિએ તેની આત્મહત્યા માટે જવાબદાર તેનો સગો ભાઈ, બહેન અને તેના બનેવી હોવાનું લખી પ્રૉપર્ટી માટે તેને પરેશાન કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે આ ત્રણે સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવા માટેની કમલો હેઠળ ફરિયાદ નોંધી છે.

મુંબઈ ઠાકુરદ્વાર જેએસએસ રોડ પર શુભ સદન બિલ્ડિંગમાં રૂમ નંબર ૧૫મા રહેતા ૫૮ વર્ષના વિલાસ નારાયણ શાસ્ત્રી ૨૬ સપ્ટેમ્બરે સવારે જે ઘરમાં રહેતા હતા એમાં બેશુદ્ધ પડ્યા હોવાનો કૉલ મુંબઈ પોલીસ મુખ્ય કન્ટ્રોલ રૂમમાં થયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં એક ઇસમ બેભાન અવસ્થામાં પડેલો હતો. નજીકના ડૉક્ટરને તેને તપાસવા બોલાવતાં તેણે સરકારી દવાખાને લઈ જવાનું કહ્યું હતું. ત્યાં લઈ જતાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરતાં ત્યાંથી કીટકનાશક દવા મળતાં તેણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું અને એના જ આધારે પોલીસે પ્રાથમિક તપાસમાં એડીઆર નોંધ્યો હતો. જોકે વધુ તપાસ હાથ ધરવા માટે ફરી વાર ઘરની તપાસ કરવામાં આવી ત્યારે દરવાજાના ખૂણામાં એક બૉક્સ લટકાવેલું હતું. બૉક્સમાંથી એક પત્ર મળી આવ્યો હતો. એ પત્રમાં લખવામાં આવ્યું હતું કે મરનારનો મોટો ભાઈ પ્રકાશ નારાયણ શાસ્ત્રી, મોટી બહેન ગીતા વિનાયક માર્કંડે અને તેના પતિ વિનાયક માર્કંડે વચ્ચે મિલકતનો વિવાદ ચાલતો હતો અને એમાં હતાશાના કારણે તેણે જંતુનાશક દવા પીને આપઘાત કર્યો હતો. અંતે પોલીસે બુધવારે આ ત્રણે સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવા માટેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



એલટી માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર વાઘે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં આત્મહત્યા આશરે ત્રણ મહિના પહેલાં થઈ હતી, જેમાં અમે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન આરોપીએ લખેલી સુસાઇડ નોટ મળી આવતાં અમે ત્રણે સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2023 07:30 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK