Targhar Station: આ રેલવે સ્ટેશનને આધુનિક પરિવહન કેન્દ્ર તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. મુંબઈના પરિવહનમાટે ખૂબ જ મહત્વનો ભાગ બનનાર છે.
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના તારઘર રેલવે સ્ટેશન (Targhar Station)ને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે નવનિર્મિત તારઘર રેલ્વે સ્ટેશન જે બન્યું છે તે અત્યારે નિરીક્ષણના છેલ્લા તબક્કામાં છે. તેનું નિરીક્ષણ મધ્ય રેલ્વે અને સિડકો દ્વારા કરવામાં આવશે. અધિકારીઓએ એવું પણ જણાવ્યું છે કે આગામી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) માટે આ સ્ટેશન ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે.
હવે આપણે આ સ્ટેશનની રચના મુદ્દે વાત કરીએ. આ નવનિર્મિત તારઘર રેલવે સ્ટેશન 2 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સ્ટેશન પર મુસાફરોને કુલ પાંચ પ્લેટફોર્મ મળવાના છે. જેમાંથી ત્રણ આઇલેન્ડ પ્લેટફોર્મ અને બે એન્ડ (અંતિમ) પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. જેમાં પ્લેટફોર્મ 270 મીટર લાંબા છે. બે 7.5-મીટર પહોળા સબવે પ્લેટફોર્મને સ્ટેશન વિસ્તાર અને તેની આસપાસની જગ્યાઓ સાથે કનેક્ટ કરે તેવા છે.
ADVERTISEMENT
આ સાથે જ સ્ટેશન (Targhar Station) પર ટિકિટ કાઉન્ટરની બાજુમાં વેઇટિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. અહીં રેસ્ટોરાંનો પણ તૈયાર કરવામાં આવેલ છે. સુલભ શૌચાલય મોડલ હેઠળ શૌચાલય બનાવવામાં આવ્યા છે. અપંગ વ્યક્તિઓ માટે પણ ખાસ સુવિધાઓ છે. આ સાથે જ અહીં વાહનો માટે એક મોટો પે-એન્ડ-પાર્ક એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં 720 ફોર-વ્હીલર સમાઈ શકે છે. બસો, કાર અને ઓટોરિક્ષાઓ માટે ડ્રોપ-ઓફ એરિયા પણ છે.
આ રેલવે સ્ટેશન (Targhar Station)ને આધુનિક પરિવહન કેન્દ્ર તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. મુંબઈના પરિવહનમાટે ખૂબ જ મહત્વનો ભાગ બનનાર છે. આ રેલવે સ્ટેશન હાર્બર લાઇન, ભાવિ દરિયાકાંઠાની મેટ્રો લાઇન અને આયોજિત એરપોર્ટ સ્કાયટ્રેનને કનેક્ટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ સ્ટેશન લગભગ પૂર્ણ થવાની અણી પર છે. આ રેલવે સ્ટેશન ખાતે તમામ પ્રકારની પેસેન્જર સુવિધાઓ, પ્લેટફોર્મ અને સબવેની સુવિધાઓ કરવામાં આવી છે. આ સ્ટેશનમાં ૫૦,૦૦૦ ચોરસ ફૂટથી વધુનો કોન્કોર્સ સ્પેસ છે. જે પેરામેટ્રિક પોલીકાર્બોનેટ શીટના રૂફ ઢંકાયેલું છે. આ સ્ટેશનને આધુનિક અને ઓપન લૂક આપે છે.
પણ, હવે પ્રશ્ન એ જ છે કે આ નવું તારઘર રેલવે સ્ટેશન ક્યારે ઓપન કરવામાં આવે છે. જો કે તે તો આ રેલવે સ્ટેશનના છેલ્લા નિરીક્ષણના પરિણામ પર આધારિત છે. આ રેલવે સ્ટેશન બનવાથી મુંબઈના દૈનિક પ્રવાસીઓ અને હવાઈ મુસાફરો બંનેને લાભ થશે.
રેલવે અધિકારીના જણાવ્યાનુસાર "તારઘર સ્ટેશન (Targhar Station)ને માત્ર રેલવેના સ્ટોપ તરીકે જ નહીં પરંતુ મલ્ટીમોડલ પરિવહન કેન્દ્ર તરીકે પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનું સ્થાન અને ભવિષ્યના પરિવહન માર્ગો સાથે જોડાણ તેને નવા એરપોર્ટ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ બનાવે છે.”

