Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ અને રાજ ઠાકરે જ યુતિ કરવી કે નહીં એનો નિર્ણય લેશે : સંજય રાઉત

ઉદ્ધવ અને રાજ ઠાકરે જ યુતિ કરવી કે નહીં એનો નિર્ણય લેશે : સંજય રાઉત

Published : 23 June, 2025 09:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ ઠાકરે શું પગલું ભરશે એના વિશે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. રાજ ઠાકરેએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટી (BJP)ને બહારથી સપોર્ટ આપ્યો હતો.

ઉદ્ધવ ઠાકરે,  રાજ ઠાકરે, સંજય રાઉત

ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, સંજય રાઉત


શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે યુતિ કરવી કે નહીં એનો નિર્ણય ઉદ્ધવ અને રાજ ઠાકરે જ લેશે અને આ બાબતે અન્ય કોઈ પણ બોલે તો એ અનુચિત ગણાશે એમ શિવસેના-UBTના નેતા સંજય રાઉતે ગઈ કાલે કહ્યું હતું. એક બાજુ શિવસેના-UBTના નેતાઓ અને કાર્યકરો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે યુતિ થાય એ માટે રાજ ઠાકરે સુધી તેમની ભાવના પહોંચાડી રહ્યા છે ત્યારે બીજી બાજુ હાલમાં જ રાજ ઠાકરેએ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે એક હોટેલમાં કરેલી બેઠકે લોકોને અને રાજકીય નિરીક્ષકોને વિચારતા કરી મૂક્યા છે. હવે રાજ ઠાકરે શું પગલું ભરશે એના વિશે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. રાજ ઠાકરેએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટી (BJP)ને બહારથી સપોર્ટ આપ્યો હતો.


સંજય રાઉતે કહ્યું હતું કે ‘MNSના જે લોકો યુતિની વિરુદ્ધમાં બોલી રહ્યા છે એ લોકો રાજકારણમાં બહુ મોડેથી જોડાયા છે. બીજા શું કહે છે એનો કોઈ અર્થ નથી. મેં વર્ષોથી ઠાકરે ભાઈઓને જોયા છે. મને ખબર છે કે શું થશે અને શું ‌નહીં થાય. એ બાબતે મારા કરતાં ‍કોઈને વધુ ખબર ન પડે. યુતિ બાબતે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે જ નેતા અને ભાઈઓ તરીકે નિર્ણય લેશે.’


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2025 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK