Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રામનવમીએ નાગપુરમાં અથડામણ

રામનવમીએ નાગપુરમાં અથડામણ

19 April, 2024 08:01 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૪ લોકોની ધરપકડ, ૧૫૦ સામે કેસ નોંધાયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રામનવમીની શોભાયાત્રા દરમ્યાન બુધવારે રાત્રે નાગપુરમાં બે જૂથોએ સામસામે પથ્થરમારો કરવાની ઘટના બની હતી. શોભાયાત્રા નાગપુરના મહાદુલ્લા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બે જૂથ સામસામે આવી ગયાં હતાં અને બાદમાં પથ્થરમારો થયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઝંડો ફાડવામાં આવ્યો હોવાની અફવા ફેલાયા બાદ આ અથડામણ થઈ હોવાનું જણાતાં પોલીસે બન્ને જૂથના ૧૫૦ લોકો સામે ફરિયાદ નોંધીને ૨૪ જણની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે થોડો સમય વાતાવરણ તંગ બની ગયું હતું. જોકે પોલીસે લોકોને વિખેરી નાખતાં સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2024 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK