Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > 10 ફેબ્રુઆરીએ મુંબઈની મુલાકાતે આવશે PM નરેન્દ્ર મોદી, મુંબઈ પોલીસ સતર્ક

10 ફેબ્રુઆરીએ મુંબઈની મુલાકાતે આવશે PM નરેન્દ્ર મોદી, મુંબઈ પોલીસ સતર્ક

06 February, 2023 02:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

10 ફેબ્રુઆરીએ તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી મુંબઈના કોલાબા વિસ્તારમાં ભારતીય નૌકાદળના બેઝની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. દરમિયાન, મુંબઈ પોલીસે 10 ફેબ્રુઆરીએ શહેરમાં ઉડ્ડયન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

તસવીર સૌજન્ય: એએફપી

તસવીર સૌજન્ય: એએફપી


વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 10 ફેબ્રુઆરીએ શહેરની મુલાકાતે આવે તેવી શક્યતા છે. તેમની મુલાકાત પૂર્વે સોમવારે મુંબઈ પોલીસે (Mumbai Police) શહેરમાં સુરક્ષા વ્યવસ્થાની તૈયારી શરૂ કરી દીધી હતી. એક મહિનાની અંદર આ પીએમ મોદીની મુંબઈની બીજી મુલાકાત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ નરેન્દ્ર મોદી મુંબઈની મુલાકાત દરમિયાન શહેરના અનેક વિસ્તારોની મુલાકાત લેશે.

દાઉદી બોહરા સમુદાયના અરેબિક એકેડમીના ઉદ્ઘાટન માટે પીએમ મોદી મુંબઈમાં અંધેરી ઈસ્ટની મુલાકાત લે તેવી શક્યતા છે, એમ દાઉદી બોહરાઓના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવાયું છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પીએમ મોદી પરમ પવિત્ર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાથે મંચ શેર કરે તેવી અપેક્ષા છે.



10 ફેબ્રુઆરીએ તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી મુંબઈના કોલાબા વિસ્તારમાં ભારતીય નૌકાદળના બેઝની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. દરમિયાન, મુંબઈ પોલીસે 10 ફેબ્રુઆરીએ શહેરમાં ઉડ્ડયન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.


નિવારક આદેશમાં, પોલીસે જણાવ્યું હતું કે, “મુંબઈના પોલીસ કમિશ્નરના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં પ્રવર્તતી પરિસ્થિતિને કારણે, એવું માનવામાં આવે છે કે ભારતના વડા પ્રધાન 10/02/2023 ના રોજ મુંબઈ એરપોર્ટ પર મુંબઈની મુલાકાત દરમિયાન, INS શિકરા, CSMT અને મરોલ, અંધેરીમાં આતંકવાદી/સામાજ વિરોધી તત્વો ડ્રોન, પેરા-ગ્લાઈડર્સ, રિમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ એરક્રાફ્ટનો ઉપયોગ કરીને હુમલો કરી શકે છે.”

તેમાં કહેવામાં આવ્યું છે કે “ભારતના વડા પ્રધાનની મુંબઈ મુલાકાતને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ પોલીસ સ્ટેશન, સહાર પોલીસ સ્ટેશન, કોલાબા પોલીસ, સ્ટેશન, M.R.A. માર્ગ પોલીસ સ્ટેશન, MIDC પોલીસ સ્ટેશન અને અંધેરી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં કોઈપણ ડ્રોન, પેરા-ગ્લાઈડર્સ, તમામ પ્રકારના બલૂન, પતંગ અને રિમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ એરક્રાફ્ટ ઉડાવવાની પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં.”


આદેશમાં વધુમાં જણાવ્યું છે કે આ આદેશ 10/02/2023ના રોજ 00.01 કલાકથી અમલમાં આવશે અને 10/02/2023ના 24.00 કલાક સુધી અમલી રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, "કોઈપણ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તે ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે."

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ આવશે મુંબઈ, જાણો વિગતો

અગાઉ, 19 જાન્યુઆરીએ, પીએમ મોદી ઘણા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવા અને મેટ્રો 2એ અને 7 લાઇનનું ઉદ્ઘાટન કરવા માટે મુંબઈ આવ્યા હતા. તેમની અગાઉની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સના એમએમઆરડીએ મેદાનમાં જાહેર સભાને પણ સંબોધિત કરી હતી. તેમણે નવી ઉદ્ઘાટન કરાયેલ મેટ્રો લાઇનની પણ મુલાકાત લીધી હતી અને મેટ્રોમાં પ્રવાસ પણ કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2023 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK