નવી મુંબઈના ઘણસોલીમાં શનિવારે રાતે દહીહંડી ઉત્સવ દરમ્યાન થર બનાવવાના પ્રયાસમાં ૩૪ વર્ષના ગોવિંદાનું મૃત્યુ થયું હતું
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના ઘણસોલીમાં શનિવારે રાતે દહીહંડી ઉત્સવ દરમ્યાન થર બનાવવાના પ્રયાસમાં ૩૪ વર્ષના ગોવિંદાનું મૃત્યુ થયું હતું. રબાળે પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે દેવીદાસ ચૌગુલે દહીહંડી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઘણસોલીનું એક ગોવિંદા પથક દહીહંડી ફોડવા માટે માનવ-પિરામિડ બનાવી રહ્યું હતું. એ દરમ્યાન અચાનક ગોવિંદાઓ નીચે પટકાયા હતા અને એમાં સ્વપ્નિલ નાવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના સંદર્ભે રબાળે
પોલીસ-સ્ટેશનમાં ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
