Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દાદર મેટ્રો સ્ટેશનનું કામ શરૂ, આજથી આ રસ્તાઓ પર મળશે જબરજસ્ત ટ્રાફિક

દાદર મેટ્રો સ્ટેશનનું કામ શરૂ, આજથી આ રસ્તાઓ પર મળશે જબરજસ્ત ટ્રાફિક

25 April, 2024 03:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Traffic Updates: દાદર અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનનું કામ શરુ થતા આ માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં આવશે, જોઈ લો વિગતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ (Mumbai) શહેરમાં ઠેક-ઠેકાણે મુંબઈ મેટ્રો (Mumbai Metro) નું કામ ચાલી રહ્યું છે. જેને કારણે અનેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. ત્યારે મેટ્રોના વધુ એક તબક્કાનું કામ હાથ ધરવામાં આવશે. જેની અસર મુંબઈ ટ્રાફિક (Mumbai Traffic) પર જોવા મળશે.

મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ - એમએમઆરસીએલ (Mumbai Metro Rail Corporation Ltd - MMRCL) દ્વારા મેટ્રો લાઇન - 3, પ્રોજેક્ટ - 4 હેઠળ દાદર (Dadar) અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનના નિર્માણ કાર્યને જોતાં, સ્ટીલમેન જંકશન (Steelman Junction), સેનાપતિ બાપટ રોડ (Senapati Bapat Road), ગોખલે રોડ (Gokhale Road) જેવા દાદરના નિર્ણાયક સ્થળોએ વાહનોની અવરજવરને અસર થશે. મુંબઈ ટ્રાફિક પોલીસ (Mumbai Traffic Police) એ બુધવારે જણાવ્યું હતું કે, કેટલાક સ્થળો બંધ થવાથી નવું ડાયવર્ઝન આજથી એટલે કે ૨૫ એપ્રિલથી અમલમાં આવશે.



મુંબઈ ટ્રાફિક પોલીસે જાહેર કરેલી એડવાઈઝરી મુજબ, લેફ્ટનન્ટ અન્ના ટિપનીસ ચોક (Lt Anna Tipnis Chowk) થી સ્ટીલમેન જંકશનથી ગડકરી ચોક (Steelman Junction to Gadkari Chowk) વચ્ચેના માર્ચ પર ટ્રાફિકને કામ ચાલી રહ્યું હોવાને કારણે અસર થશે, અને તેથી કોઈપણ અસુવિધા ટાળવા માટે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવશે.


એડવાઈઝરીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ગોખલે રોડ (Gokhale Road) ની ઉત્તર દિશા - ગડકરી ચોક (Gadkari Chowk) થી સ્ટીલમેન જંકશન (Steelman Junction) સુધી - તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ રહેશે. સાઉથબાઉન્ડ રાબેતા મુજબ ખુલ્લું રહેશે. જો કે, કોઈપણ અવરોધ વિના ટ્રાફિકનો મુક્ત પ્રવાહ જાળવવા માટે બંને સીમાઓને `નો-પાર્કિંગ` તરીકે જાહેર કરવામાં આવશે. વાહનોને સેનાપતિ બાપટ સ્ટેચ્યુ – સર્કલ (Senapati Bapat Statue - circle) થી રાનડે રોડ (Ranade Road) પર સ્ટીલમેન જંકશન તરફ જવા પર પ્રતિબંધ રહેશે કારણ કે તે વન-વે માર્ગ રહેશે.

ગોખલે રોડ પર ઉત્તર તરફની સાથે પોર્ટુગીઝ ચર્ચ (Portuguese Church) થી આગળ વધતા વાહનોએ સ્ટીલમેન જંકશનથી ડાબો વળાંક લેવો જોઈએ અને રાનડે રોડ, દાદાસાહેબ રેગે રોડ (Dadasaheb Rege Roa), ગડકરી જંકશન થઈને તેમના ગંતવ્ય તરફ આગળ વધવું જોઈએ.


જ્યારે દાદર ટીટી તરફ જતા વાહનો સ્ટીલમેન જંકશનથી જમણી બાજુએ રાનડે રોડ સાથે, પાનેરી જંકશન (Paneri Junction) ડાબે વળાંક લે છે અને એનસી કેલકર રોડ (NC Kelkar Road), કોટવાલ ગાર્ડન (Kotwal Garden) સાથે આગળ વધવા માટે તેમના ગંતવ્ય તરફ આગળ વધે છે.

પહેલાથી જ ગીચ રસ્તાઓ પર ડાઇવર્ટ કરાયેલા ટ્રાફિકને કારણે વાહનચાલકો માટે સ્થિતિ વધુ ખરાબ થશે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે, પોલીસે આ વર્ષના સપ્ટેમ્બર સુધી MMRCLને ડાયવર્ઝન પ્રદાન કર્યું છે. દાદરમાં મેટ્રો 3 માટેનું બીજું સ્ટેશન માહિમ (Mahim) માં સીતલાદેવી મંદિર, દાદરમાં સિદ્ધિ વિનાયક (Siddhi Vinayak) અને વરલી (Worli) હશે.

મેટ્રો 3, જેને MMRCL દ્વારા એક્વા લાઇન પણ કહેવાય છે, તે કોલાબા-બાંદ્રા-SEEPZ સાથે ચાલતો 33.5km લાંબો ભૂગર્ભ કોરિડોર છે. કોરિડોરની લંબાઈ 27 મુખ્ય સ્ટેશનો સાથે ચિહ્નિત થયેલ છે જેમાંથી 26 ભૂગર્ભ અને એક ગ્રેડમાં હશે. અહેવાલ મુજબ, આગામી સપ્તાહે આરે કોલોની-બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) રૂટ પર ટૂંક સમયમાં ટ્રેનોમાં સંકલિત પરીક્ષણ શરૂ થશે.

Whatsapp-channel Whatsapp-channel

25 April, 2024 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK