Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજ મુન્નાભાઈ તો ઉદ્ધવ ઠાકરે કલાનગરના સર્કિટ

રાજ મુન્નાભાઈ તો ઉદ્ધવ ઠાકરે કલાનગરના સર્કિટ

16 May, 2022 09:12 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાંદરાની સભામાં શિવસેનાપ્રમુખે એમએનએસના અધ્યક્ષને ગંભીરતાથી ન લેવાનું કહ્યા બાદ તેમની પાર્ટીનાં મહિલા નેતાએ કર્યો વળતો પ્રહાર

એમએનએસનાં નેતા શાલિની ઠાકરેએ ટ્વીટ કરેલો ફોટો

એમએનએસનાં નેતા શાલિની ઠાકરેએ ટ્વીટ કરેલો ફોટો


મુખ્ય પ્રધાન અને શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે બીકેસીમાં આયોજિત સભામાં એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેની ટીકા કરી હતી. મુખ્ય પ્રધાને રાજ ઠાકરેનું નામ લીધા વિના કહ્યું હતું કે ‘એક વ્યક્તિ પોતે બાળાસાહેબ ઠાકરે હોય એવા ભ્રમમાં જીવે છે. તેને ‘મુન્નાભાઈ...’ ફિલ્મમાં હીરોને ગાંધીજી દેખાય છે એવી રીતે બાળાસાહેબ દેખાય છે. તેના મગજમાં કેમિકલ લોચો છે. તેને ગંભીરતાથી લેવાની જરૂર નથી.’ એમએનએસનાં નેતા શાલિની ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતાં ગઈ કાલે ટ્વીટ દ્વારા કહ્યું હતું કે રાજ ઠાકરે મુન્નાભાઈ હોવાનું કહેનારા ઉદ્ધવ ઠાકરે કલાનગરના સર્કિટ છે.

શનિવારે બાંદરાના બીકેસી ખાતેના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં આયોજિત શિવસેનાની જાહેર સભામાં મુખ્ય પ્રધાન અને શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેનું નામ લીધા વિના નિશાન બનાવ્યા હતા. એમએનએસનાં મહિલા અધ્યક્ષ શાલિની ઠાકરેએ ગઈ કાલે ટ્વીટમાં એક પોસ્ટ મૂકી હતી, જેમાં રાજ ઠાકરેના અડધા ચહેરા પર બાળાસાહેબનો ફોટો મૂક્યો હતો. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ‘ક્યારેક બાળાસાહેબ દેખાય છે, ક્યારેક ભગવા રંગની શાલ ફરે છે એવું કહેનારાને આ ફોટો ઘણું કહી જાય છે. માત્ર કલાનગરના સર્કિટને એ દેખાતું નથી.’


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2022 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK