Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં તપી રહ્યો છે ઉનાળો: પૂર્વીય પવનને કારણે મુંબઈમાં હજી વધશે પારો

મહારાષ્ટ્રમાં તપી રહ્યો છે ઉનાળો: પૂર્વીય પવનને કારણે મુંબઈમાં હજી વધશે પારો

15 April, 2024 10:28 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્ર (Maharashtra Weather)માં ગરમીનું મોજું યથાવત છે. છેલ્લા 45 દિવસમાં 77 લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા છે. દરમિયાન મુંબઈમાં પણ ગરમીનું પ્રમાણ વધશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. મહારાષ્ટ્રમાં ગરમીનું મોજું યથાવત છે
  2. છેલ્લા 45 દિવસમાં 77 લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા છે
  3. મુંબઈમાં પણ ગરમીનું પ્રમાણ વધશે

મહારાષ્ટ્ર (Maharashtra Weather)માં ગરમીનું મોજું યથાવત છે. છેલ્લા 45 દિવસમાં 77 લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા છે. દરમિયાન મુંબઈમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર સોમવારથી મહત્તમ તાપમાનમાં વધારો થશે અને તાપમાનનો પારો 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી, દરિયાઈ પવનો વહેલા શરૂ થવાને કારણે મુંબઈ (Maharashtra Weather)માં દિવસનું તાપમાન 32થી 33 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું છે, પરંતુ હવામાન વિભાગે સંકેત આપ્યા છે કે સોમવારથી આ સમીકરણ બદલાશે.

મહાનગરમાં ગરમીનું પ્રમાણ વધવા જઈ રહ્યું છે. હવામાનશાસ્ત્રી રાજેશ કાપડિયાએ નવભારત ટાઈમ્સને જણાવ્યું હતું કે, આ દિવસોમાં અરબી સમુદ્રમાંથી શહેર તરફ આવતા પવનો દિવસના વહેલા ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે તાપમાન (Maharashtra Weather)માં વધારો થઈ રહ્યો નથી. સોમવારથી, પૂર્વ દિશામાંથી આવતા પવનો પ્રવર્તશે અને દરિયાઈ પવનને સેટ થવા દેશે નહીં, જેના કારણે દિવસનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીથી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.



તાપમાન 37 ડિગ્રી રહેશે


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 એપ્રિલે પારો 36 ડિગ્રી અને 16 એપ્રિલે 37 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાઈ શકે છે. રવિવારે મુંબઈનું મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

સ્ટ્રોકના ટોચના 5 જિલ્લાઓ


આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 1 માર્ચથી, સૌથી વધુ હીટ સ્ટ્રોકના કેસ નોંધાયા છે - બુલઢાણામાં 12, સિંધુદુર્ગમાં 9, વર્ધામાં 8, નાસિકમાં 6, પુણે અને કોલ્હાપુરમાં 5-5.

મરાઠવાડા-વિદર્ભમાં ભરઉનાળે ચાર દિવસ કમોસમી વરસાદ

ઉનાળો તપી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના મરાઠવાડા અને વિદર્ભના કેટલાક જિલ્લામાં મુશળધાર વરસાદ થવાની આગાહી કરી છે. અમુક જગ્યાએ તો ચોમાસા જેવો વરસાદ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આગામી ચાર દિવસ રાજ્યના અનેક ભાગોમાં આકાશ વાદળછાયું રહેવાની સાથે વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા છે.

વિદર્ભના વાશિમ, યવતમાળ, વર્ધા, ભંડારા, ચંદ્રપુર અને ગડચિરોળી જિલ્લામાં સારોએવો વરસાદ થવાની શક્યતા છે એટલે અહીં ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. નાગપુર જિલ્લામાં બુધવારે રાત્રે કેટલાંક સ્થળે જોરદાર વરસાદ પડ્યા બાદ ગઈ કાલે સવારે ઝરમર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈમાં વરસાદ થવાની શક્યતા નથી, પણ આકાશ વાદળછાયું રહેશે એટલે તાપમાનમાં બહુ વધઘટ નહીં થાય.

ઉલ્લેખનીય છે કે, ઉનાળાની મોસમ અને મુંબઈ શહેરમાં વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ હીટ સ્ટ્રોક નિયંત્રણ અને નિવારણ માટે માર્ગદર્શિકા જારી કરી છે. BMC દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, નાગરિક સંસ્થાએ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે મોટી હૉસ્પિટલો અને મેડિકલ કૉલેજોમાં કોલ્ડ રૂમ સ્થાપ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2024 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK