Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેનાના વધુ વિધાનસભ્યો ગુવાહાટીમાં શિંદે ગ્રુપ સાથે જોડાયા

શિવસેનાના વધુ વિધાનસભ્યો ગુવાહાટીમાં શિંદે ગ્રુપ સાથે જોડાયા

24 June, 2022 09:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે દિવસ સુધી ઉદ્ધવ ઠાકરે સાથે રહેનાર રાજ્યના કૃષિપ્રધાન દાદાસાહેબ ભુસે, સંજય રાઠોડ અને રવીન્દ્ર ફાટક પણ એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા છે

ફાઇલ તસવીર

Maharashtra Political Drama

ફાઇલ તસવીર


હાલ આસામના ગુવાહાટીની હોટેલમાં શિવસેનાના વિધાનસભ્યોને રાખીને બંડ પોકારનાર એકનાથ શિંદેના ગ્રુપમાં જોડાવા ગઈ કાલે કેટલાક વધુ વિધાનસભ્યો ત્યાં પહોંચી ગયા હતા. એમાં કુર્લાના વિધાનસભ્ય મંગેશ કુડાળકર અને માહિમના સદા સરવણકરનો સમાવેશ થાય છે. એ પહેલાં ગુલાબરાવ પાટીલ, ચંદ્રકાન્ત પાટીલ, યોગેશ કદમ અને મંજુલા ગાવિત પણ એકનાથ શિંદેના ગ્રુપમાં જોડાઈ ગયાં હતાં. તેમને આવકારવા એકનાથ ​શિંદે હોટેલની લૉબીમાં પહોંચી ગયા હતા.

બે દિવસ સુધી ઉદ્ધવ ઠાકરે સાથે રહેનાર રાજ્યના કૃષિપ્રધાન દાદાસાહેબ ભુસે, સંજય રાઠોડ અને રવીન્દ્ર ફાટક પણ એકનાથ શિંદે સાથે જોડાઈ ગયા છે. બે દિવસ પહેલાં ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર વિધાનસભ્યોને મનાવવા તેમના બે વિશ્વાસુ મિલિંદ નાર્વેકર અને રવીન્દ્ર ફાટકને સુરત મોકલ્યા હતા. એમાંના રવીન્દ્ર ફાટક બે દિવસ બાદ હવે બળવાખોરો સાથે જોડાઈ ગયા છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2022 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK