બાંદરામાં માતોશ્રી નજીક શિવસેનાએ લગાવ્યું બૅનર
તસવીર : આશિષ રાજે
આજે સાંજે નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે શપથ લેશે એ સંદર્ભમાં બાંદરા-ઈસ્ટમાં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની નજીક ગઈ કાલે એક બૅનર લગાવવામાં આવ્યું હતું. એકનાથ શિંદેની શિવસેનાના સ્થાનિક નેતા કુણાલ સરમળકરે લગાવેલા આ બૅનરમાં લખવામાં આવ્યું હતું કે ‘ફિર એક બાર મોદી સરકાર : રાજતિલક કી કરો તૈયારી, એક અકેલા સબ પે ભારી.’ આવું બૅનર ચર્ચાનો વિષય બન્યું છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)