એક જ પરિવારના ત્રણ જણ સહિત કુલ ચાર મુમુક્ષુઓએ દીક્ષા અંગીકાર કરી હતી
મુમુક્ષુઓની તસવીર
ડોમ્બિવલીમાં ગઈ કાલે વહેલી સવારે શ્રી શ્રેયસ્કર પાર્શ્વભક્તિ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના નેજા હેઠળ એક જ પરિવારના ત્રણ જણ સહિત કુલ ચાર મુમુક્ષુઓએ દીક્ષા અંગીકાર કરી હતી. દીક્ષા બાદ જિગરભાઈ ભરતભાઈ શાહ (૩૮) ને નવું નામ પૂજ્ય મુનિરાજ શ્રી જિનાલય શેખરવિજયજી મહારાજસાહેબ, બાળમુમુક્ષુ સંયમકુમાર જિગરભાઈ શાહ (૯) ને નવું નામ પૂજ્ય મુનિરાજ શ્રી સિદ્ધાલય શેખરવિજયજી મહારાજસાહેબ, મુમુક્ષુ કિરણબહેન જિગરભાઈ શાહ (૩૬)ને નવું નામ પૂજ્ય સાધ્વીજી શ્રી પૂર્ણાનંદીશ્રીજી મહારાજસાહેબ અને મુમુક્ષુ સ્વીટીબહેન અજયભાઈ શાહ (૩૦)ને નવું નામ પૂજ્ય સાધ્વીજી શ્રી શુદ્ધોહંનિધિશ્રીજી મહારાજસાહેબ આપવામાં આવ્યું છે.