Independence Day 2025: કલ્યાણ ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના માંસ પ્રતિબંધ અંગેના આદેશ પર મનસેના વડા રાજ ઠાકરેએ તીવ્ર પ્રતિક્રિયા આપી; વેજ-નોનવેજ પરનો વિવાદ ખોટો હોવાનું કહ્યું
રાજ ઠાકરેની ફાઇલ તસવીર
સ્વતંત્રતા દિવસ (Independence Day 2025) નિમિત્તે કલ્યાણ-ડોંબિવલી (Kalyan-Dombivli), માલેગાંવ (Malegaon), નાગપુર (Nagpur), અમરાવતી (Amravati) સહિત રાજ્યના કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેશનોએ ૧૫ ઓગસ્ટના રોજ કતલખાના અને માંસની દુકાનો બંધ રાખવાનો આદેશ (Meat Sales Ban) જારી કર્યો છે. આ નિર્ણયથી મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યમાં એક નવો વિવાદ ઉભો થયો છે. હિન્દુત્વ સંગઠનો દ્વારા આ આદેશનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તો કસાઈ સમુદાય અને માંસાહારી નાગરિકો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આજે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (Maharashtra Navnirman Sena)ના પ્રમુખ રાદ ઠાકરે (Raj Thackeray)એ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટપણે વ્યક્ત કર્યું. રાજ ઠાકરેએ આ આદેશની ટીકા કરી છે અને તીવ્ર પ્રતિક્રિયા આપી છે.
મહારાષ્ટ્રમાં માંસ પ્રતિબંધ વિવાદ પર મનસે પ્રમુખ રાજ ઠાકરે ભડકી ગયા છે. રાજ ઠાકરેએ કહ્યું કે, ‘શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે લોકોએ નક્કી કરવું જોઈએ, તમે સ્વતંત્રતા દિવસ પર જ કેવી રીતે પ્રતિબંધ લગાવી શકો છો? સરકારે લોકોને શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે ન કહેવું જોઈએ. કોઈપણ સરકારે આ વિશે વિચારવું જોઈએ, સ્વતંત્રતા દિવસ પર તેમની સ્વતંત્રતા છીનવાઈ રહી છે.’
ADVERTISEMENT
રાજ ઠાકરેએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ કેવો સ્વતંત્રતા દિવસ છે, કે આપણે સ્વતંત્રતા દિવસે લોકોની સ્વતંત્રતા છીનવી રહ્યા છીએ. રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે, ‘મેં આપણા લોકોને કહ્યું છે કે તમારે કતલખાના અને માંસની દુકાનો ચાલુ રાખવી જોઈએ. આપણે સૌ પ્રથમ જે જોવું જોઈએ તે એ છે કે મહાનગરપાલિકાને આ બધી બાબતો પર કોઈ અધિકાર નથી અને સરકાર અને મહાનગરપાલિકાએ નક્કી ન કરવું જોઈએ કે કોઈએ શું ખાવું જોઈએ અને કોઈએ શું ન ખાવું જોઈએ. એક તરફ, આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા અને ખાવા માટે સ્વતંત્ર નથી, તો શું તમે સ્વતંત્રતા દિવસ પર કોઈ પ્રકારનો પ્રતિબંધ લાવી રહ્યા છો? તો મને લાગે છે કે આ એક વિરોધાભાસ છે. આપણે બે બાબતો એકસાથે પાળી રહ્યા છીએ. એક સ્વતંત્રતા દિવસ અને બીજો પ્રજાસત્તાક, એટલે કે લોકોની શક્તિ અને આપણે અહીં સ્વતંત્રતા વિશે વાત કરી રહ્યા છીએ! સ્વતંત્રતા કહ્યા પછી, તમે કેવા પ્રકારના પ્રતિબંધો લાવી રહ્યા છો અને કોનો ધર્મ કયો છે અને કોના કેટલાક તહેવારો છે, મને લાગે છે કે સરકારે કોઈને શું ખાવું તે કહેવું જોઈએ નહીં, કોઈ સરકારે કોઈને શું ખાવું, શું ન ખાવું તે કહેવું જોઈએ નહીં. મેં સાંભળ્યું છે કે આ કાયદો ૧૯૮૮માં લાવવામાં આવ્યો હતોમને લાગે છે કે કોઈપણ સરકારે આ બાબતો પર વિચાર કરવો જોઈએ.’
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં કતલખાના બંધ કરવાની પરંપરા ૧૨ મે, ૧૯૮૮થી શરૂ થઈ હતી. તે આદેશ મુજબ, પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ, ગાંધી જયંતિ, રામ નવમી, મહાવીર જયંતિ અને સંવત્સરી પર કતલખાનાઓ બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ૨૫ નવેમ્બરના રોજ સાધુ વાસવાનીના જન્મદિવસને `માંસ મુક્ત દિવસ` તરીકે ઉજવવાની પણ સલાહ આપવામાં આવી હતી. ૨૮ માર્ચ, ૨૦૦૩ના રોજ, આ આદેશમાં સુધારો કરવામાં આવ્યો હતો અને મહાવીર જયંતિ પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ બકરી ઈદ પર મુસ્લિમ ભાઈઓને ધાર્મિક પશુ કતલ માટે પરવાનગી આપવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ૭ સપ્ટેમ્બર, ૨૦૦ ના રોજ, જૈનોના પર્યુષણ પર્વના બે દિવસ કતલખાનાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, અને વેપારીઓને બાકીના દિવસોમાં સ્વૈચ્છિક બંધ પાળવાની પણ અપીલ કરવામાં આવી હતી.


