Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૩૦ એપ્રિલ સુધી ઘોડબંદર રોડ પર જબરદસ્ત ટ્રૅફિક-જૅમ થઈ શકે છે

૩૦ એપ્રિલ સુધી ઘોડબંદર રોડ પર જબરદસ્ત ટ્રૅફિક-જૅમ થઈ શકે છે

Published : 26 April, 2025 11:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાયમુખ ઘાટમાં થાણેથી ઘોડબંદર તરફ આવતા રસ્તાનું રિપેરિંગ કરવા માટે બંધ કરવામાં આવ્યો

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


થાણેના ઘોડબંદર રોડ પર ગાયમુખથી ઘોડબંદર સુધીના રસ્તાનું ગઈ કાલ રાતથી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, જે ૨૯ એપ્રિલની મોડી રાત સુધી ચાલશે. આ માટે આ રસ્તાને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સમય દરમ્યાન ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે ગાયમુખથી ઘોડબંદર દરમ્યાન હળવાં વાહનો રૉન્ગ સાઇડમાં ચલાવી શકાશે. જોકે આ સમયે ટ્રૅફિક-જૅમ થવાની શક્યતા છે. વર્સોવા પોલીસચોકીથી નીરા કેન્દ્ર ઘાટ (ઘોડબંદર રોડ) દરમ્યાન રૉન્ગ સાઇડમાં વાહન ચલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ટ્રૅફિક વિભાગે વાહનચાલકોને સલાહ આપી છે કે ૩૦ એપ્રિલની સવાર સુધી ઘોડબંદર રોડ પર ભારે ટ્રૅફિક-જૅમ થઈ શકે છે એટલે લોકોએ વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2025 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK