Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સમૃ​દ્ધિ મહામાર્ગનો ૭૬ કિલોમીટરનો છેલ્લો તબક્કો પૂરો થયો : ગુરુવારે દેવેન્દ્ર ફડણવીસના હાથે ઉદ્ઘાટન

સમૃ​દ્ધિ મહામાર્ગનો ૭૬ કિલોમીટરનો છેલ્લો તબક્કો પૂરો થયો : ગુરુવારે દેવેન્દ્ર ફડણવીસના હાથે ઉદ્ઘાટન

Published : 03 June, 2025 11:25 AM | Modified : 04 June, 2025 07:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુરુવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એનું ઉદ્ઘાટન કરશે એમ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)ના મૅને​જિંગ ડિરેક્ટર અનિલ ગાયકવાડે કહ્યું છે

દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)

દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)


મુંબઈ અને નાગપુરને જોડતો ૭૦૧ કિલોમીટર લાંબો હાઈ સ્પીડ કૉરિડોર સમૃ​દ્ધિ મહામાર્ગનો છેલ્લો ૭૬ કિલોમીટરનો ઇગતપુરીથી લઈને ભિવંડી પાસે આવેલા આમણે સુધીનો તબક્કો હવે પૂરો થઈ ગયો છે. ગુરુવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એનું ઉદ્ઘાટન કરશે એમ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)ના મૅને​જિંગ ડિરેક્ટર અનિલ ગાયકવાડે કહ્યું છે. સમૃ​દ્ધિ મહામાર્ગના આ જ તબક્કામાં દેશની સૌથી લાંબી ૭.૮ કિલોમીટરની ટનલ કસારા ઘાટ હેઠળથી પસાર થાય છે. આમણેથી ઇગતપુરી સુધી જવા અત્યાર સુધી ૪૫૦ મીટર ઘાટ ચડવો પડતો હતો અને એમાં દોઢ કલાક જેટલો સમય લાગતો હતો. હવે સમૃ​દ્ધિ મહામાર્ગથી ફક્ત ૧૬૦ મીટરનું જ ચડાણ રહેશે અને માત્ર ૪૦ જ મિનિટમાં આ અંતર પાર કરી શકાશે. 

MSRDC અને નૅશનલ હા​ઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ ૧૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે સાથે મળીને બનાવેલા આ છેલ્લા તબક્કાના સમૃ​દ્ધિ મહામાર્ગ પર થાણે જિલ્લામાં ત્રણ મહત્ત્વના ઇન્ટરચેન્જ આપવામાં આવ્યા છે. એક ઇગતપુરી, બીજો શહાપુર પાસે કૂટઘરમાં અને ત્રીજો ભિવંડી પાસે આમણેમાં આપવામાં આવ્યો છે.



મુંબઈ ટુ નાગપુર હવે કલાકમાં


હવે જ્યારે આખો સમૃ​દ્ધિ મહામાર્ગ તૈયાર થઈ ગયો છે ત્યારે મુંબઈ નાગપુરનું ૭૦૧ કિલોમીટરનું અંતર જે પહેલાં પસાર કરતાં ૧૬ કલાક લાગતા હતા એ હવે આઠ જ કલાકમાં પાર કરી શકાશે. ૫૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ સમૃ​દ્ધિ મહામાર્ગ પર કલાકના ૧૫૦ કિલોમીટરની સ્પીડે વાહનો ચલાવી શકાશે.

તબક્કાવાર પૂરા થયેલા આ પ્રોજેક્ટના પહેલા ફેઝ (નાગપુરથી શિર્ડી)નું ડિસેમ્બર ૨૦૨૨માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. એ પછી શિર્ડી–ભારવીર (નાશિક)ના તબક્કાનું મે ૨૦૨૩માં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ ત્રીજા તબક્કાનું ભારવીર–ઇગતપુરીનું ઉદ્ઘાટન માર્ચ ૨૦૨૪માં MSRDC મિનિસ્ટર દાદાસાહેબ ભુસેએ કર્યું હતું અને હવે છેલ્લા તબક્કાનું ઉદ્ઘાટન દેવેન્દ્ર ફડણવીસ કરવાના છે.


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK