Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાલાસોપારાના લૉક-અપમાં બંધ નવ કાચા કેદીઓને ખોરાકી ઝેરની અસર

નાલાસોપારાના લૉક-અપમાં બંધ નવ કાચા કેદીઓને ખોરાકી ઝેરની અસર

Published : 09 February, 2023 09:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાલાસોપારાના પોલીસ લૉક-અપમાં બંધ નવ કાચા કેદીઓને ખોરાકી ઝેરની અસર થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : નાલાસોપારાના પોલીસ લૉક-અપમાં બંધ નવ કાચા કેદીઓને ખોરાકી ઝેરની અસર થતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નાલાસોપારા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિલાસ સુપેએ કહ્યું હતું કે ‘મંગળવારે બપોરે બે વાગ્યે એ કેદીઓને જમવાનું આપવામાં આવ્યું હતું. એ ખાધા પછી તેમના તરફથી શારીરિક તકલીફની ફરિયાદો આવવી શરૂ થઈ ગઈ હતી. કેટલાક કેદીઓએ મોળ ચડવાની ફરિયાદ કરી હતી, જ્યારે કેટલાકને ઊલટીઓ થવા માંડી હતી. તેમને સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. તરત ટ્રીટમેન્ટ મળી જવાને કારણે તેમને કોઈ જોખમ ન હોવાનું અને તેમની હાલત સ્ટેબલ હોવાનું હૉસ્પિટલ દ્વારા જણાવાયું હતું. તેમને જે જમવાનું આપવામાં આવ્યું હતું એનાં સૅમ્પલ ચકાસણી માટે લૅબમાં મોકલવામાં આવ્યાં છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2023 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK