Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પહલગામના આતંકવાદી અટૅકના વિરોધમાં ડોમ્બિવલી સંપૂર્ણ બંધ રહ્યું

પહલગામના આતંકવાદી અટૅકના વિરોધમાં ડોમ્બિવલી સંપૂર્ણ બંધ રહ્યું

Published : 25 April, 2025 11:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાઉસિંગ સોસાયટીઓએ પણ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી

ડોમ્બિવલીના અનેક વિસ્તારોમાં ગઈ કાલે બંધ પાળવામાં આવ્યો હતો.

ડોમ્બિવલીના અનેક વિસ્તારોમાં ગઈ કાલે બંધ પાળવામાં આવ્યો હતો.


જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં તમામ રાજકીય પક્ષો અને વેપારીઓ દ્વારા ગુરુવારે સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેનો જોરદાર પ્રતિસાદ જોવા મળ્યો હતો. શ્રીનગરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સંજય લેલે, હેમંત જોશી અને અતુલ મોને આ ત્રણ સ્થાનિક રહેવાસીનાં મૃત્યુ થયાં હતાં. ગઈ કાલે ડોમ્બિવલી-ઈસ્ટ અને વેસ્ટ બન્ને વિસ્તારમાં તમામ રાજકીય પક્ષો અને વેપારી સંગઠનોના નેતૃત્વમાં તમામ દુકાનો અને ઑફિસો બંધ રહી હતી. ફક્ત હૉસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહી હતી.


ત્રણેય પીડિતોના મૃતદેહ બુધવારે કાશ્મીરથી ડોમ્બિવલી લાવવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર એ જ દિવસે મોડી રાત્રે કરવામાં આવ્યા હતા. એમાં હજારો લોકો હાજર હતા. આ ઘટના પછી રાજકીય પક્ષો અને સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ અને શોકમાં શહેર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2025 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK