Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દિશા સાલિયાન કેસ: મુંબઈ પોલીસે કેન્દ્રીય મંત્રી રાણે, અને દીકરાને મોકલ્યું તેડું

દિશા સાલિયાન કેસ: મુંબઈ પોલીસે કેન્દ્રીય મંત્રી રાણે, અને દીકરાને મોકલ્યું તેડું

Published : 02 March, 2022 08:05 PM | Modified : 02 March, 2022 08:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દિવંગત દિશા સાલિયાનના પરિવારના સભ્યોને વિભિન્ન સોશિયલ મીડિયા મંચ પર કહેવાતી રીતે બદનામ કરવા મામલે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે તના તેમના વિધેયક દીકરા નિતેશ રાણેને તેમના નિવેદન નોંધાવવા માટે સમન્સ પાઠવ્યા છે.

નારાયણ રાણે (ફાઇલ તસવીર)

નારાયણ રાણે (ફાઇલ તસવીર)


મુંબઈ પોલીસે દિવંગત બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ પ્રબંધક દિવંગત દિશા સાલિયાનના પરિવારના સભ્યોને વિભિન્ન સોશિયલ મીડિયા મંચ પર કહેવાતી રીતે બદનામ કરવા મામલે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે તના તેમના વિધેયક દીકરા નિતેશ રાણેને તેમના નિવેદન નોંધાવવા માટે સમન્સ પાઠવ્યા છે.


એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે પોલીસે દંડ પ્રક્રિયા સંહિતા (CRPC)નો ધારો 41એ હેઠળ ભાજપ મંત્રી તથા તેમના દીકરા વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે અને તેમને નિવેદન નોંધાવવા માટે હાજર થવા કહ્યું છે.



તેમણે જણાવ્યું કે નોટિસ પ્રમાણે, નિતેશ રાણેને આ મામલે તપાસ કરતા પોલીસ અધિકારી સામે ત્રણ માર્ચના અને તેમના પિતા નારાયણ રાણેને ચાર માર્ચે રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે.


દિશા સાલિયાને ઉપનગરીય મલાડ સ્થિત એક બહુમાળીય ઇમારતમાંથી આઠ જૂન, 2020ના કૂદીને કહેવાતી રીતે આત્મહત્યા કરી લીધી હતી. આના છ દિવસ પથી અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (34) ઉપનગરીય બાન્દ્રા સ્થિત પોતાના અપાર્ટમેન્ટમાં પંખે લટકતો મૃત મળ્યો હતો.

પ્રાથમિકી પ્રમાણે, કેન્દ્રીય મંત્રીએ 19 ફેબ્રુઆરીના એક સંવાદદાતા સંમેલનમાં સાલિયાનના નિધનના સિલસિલે કેટલાક દાવા કર્યા હતા. આ દરમિયાન તેમના દીકરા તેમના દીકરા નિતેશ રાણે પણ ત્યાં હાજર હતા.


અધિકારીએ જણાવ્યું કે દિશાની મા વસંતી સાલિયાનની ફરિયાજ પર પિતા-પુત્ર વિરુદ્ધ એક પ્રાથમિકી નોંધવામાં આવી. આ પહેલા વસંતી સાલિયાને મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગ (એમએસડબ્લ્યૂસી)થી સંપર્ક કર્યો હતો અને સાલિયાન પરિવારને વિભિન્ન સોશિયલ મીડિયા મંચ પર બદનામ કરવા માટે નારાયણ રાણે, નિતેશ રાણે અને અન્ય વિરુદ્ધ કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે એમએસડબ્લ્યૂસીએ પોલીસને દિશા સાલિયાનના નિધન વિશે ખોટી માહિતી ફેલાવાનારા સોશિયલ મીડિયા અકાઉન્ટને બ્લોક કરવા અને આ સંબંધે નારાયણ રાણે અને નિતેશ બન્ને વિરુદ્ધ કાર્યવાહી માટે કહ્યું હતપં, જેના પછી એફઆઇઆર દાખલ કરવામાં આવી.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2022 08:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK