દિવંગત દિશા સાલિયાનના પરિવારના સભ્યોને વિભિન્ન સોશિયલ મીડિયા મંચ પર કહેવાતી રીતે બદનામ કરવા મામલે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે તના તેમના વિધેયક દીકરા નિતેશ રાણેને તેમના નિવેદન નોંધાવવા માટે સમન્સ પાઠવ્યા છે.
નારાયણ રાણે (ફાઇલ તસવીર)
મુંબઈ પોલીસે દિવંગત બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ પ્રબંધક દિવંગત દિશા સાલિયાનના પરિવારના સભ્યોને વિભિન્ન સોશિયલ મીડિયા મંચ પર કહેવાતી રીતે બદનામ કરવા મામલે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે તના તેમના વિધેયક દીકરા નિતેશ રાણેને તેમના નિવેદન નોંધાવવા માટે સમન્સ પાઠવ્યા છે.
એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે પોલીસે દંડ પ્રક્રિયા સંહિતા (CRPC)નો ધારો 41એ હેઠળ ભાજપ મંત્રી તથા તેમના દીકરા વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે અને તેમને નિવેદન નોંધાવવા માટે હાજર થવા કહ્યું છે.
ADVERTISEMENT
તેમણે જણાવ્યું કે નોટિસ પ્રમાણે, નિતેશ રાણેને આ મામલે તપાસ કરતા પોલીસ અધિકારી સામે ત્રણ માર્ચના અને તેમના પિતા નારાયણ રાણેને ચાર માર્ચે રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે.
દિશા સાલિયાને ઉપનગરીય મલાડ સ્થિત એક બહુમાળીય ઇમારતમાંથી આઠ જૂન, 2020ના કૂદીને કહેવાતી રીતે આત્મહત્યા કરી લીધી હતી. આના છ દિવસ પથી અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (34) ઉપનગરીય બાન્દ્રા સ્થિત પોતાના અપાર્ટમેન્ટમાં પંખે લટકતો મૃત મળ્યો હતો.
પ્રાથમિકી પ્રમાણે, કેન્દ્રીય મંત્રીએ 19 ફેબ્રુઆરીના એક સંવાદદાતા સંમેલનમાં સાલિયાનના નિધનના સિલસિલે કેટલાક દાવા કર્યા હતા. આ દરમિયાન તેમના દીકરા તેમના દીકરા નિતેશ રાણે પણ ત્યાં હાજર હતા.
અધિકારીએ જણાવ્યું કે દિશાની મા વસંતી સાલિયાનની ફરિયાજ પર પિતા-પુત્ર વિરુદ્ધ એક પ્રાથમિકી નોંધવામાં આવી. આ પહેલા વસંતી સાલિયાને મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગ (એમએસડબ્લ્યૂસી)થી સંપર્ક કર્યો હતો અને સાલિયાન પરિવારને વિભિન્ન સોશિયલ મીડિયા મંચ પર બદનામ કરવા માટે નારાયણ રાણે, નિતેશ રાણે અને અન્ય વિરુદ્ધ કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે એમએસડબ્લ્યૂસીએ પોલીસને દિશા સાલિયાનના નિધન વિશે ખોટી માહિતી ફેલાવાનારા સોશિયલ મીડિયા અકાઉન્ટને બ્લોક કરવા અને આ સંબંધે નારાયણ રાણે અને નિતેશ બન્ને વિરુદ્ધ કાર્યવાહી માટે કહ્યું હતપં, જેના પછી એફઆઇઆર દાખલ કરવામાં આવી.

