આક્રમક બનેલા લોકો અને વેપારીઓ આજે રસ્તારોકો આંદોલન કરશે
ચિંચોટી-કામણ-ભિવંડી રોડની કથળેલી હાલતને કારણે લોકો આજે રસ્તારોકો આંદોલન કરશે.
ચિચોટી-કામણ-ભિવંડી રસ્તાની ઘણા લાંબા સમયથી કથળેલી હાલત હોવા છતાં એના પર પ્રશાસનનું ધ્યાન જતું ન હોવાથી એનું સમારકામ થયું જ નથી. આ રસ્તાઓ પર પડેલા અસંખ્ય ખાડા અને ધૂળને કારણે નાગરિકો અને વેપારીઓ પરેશાની ભોગવી રહ્યા છે. એથી કંટાળીને ફરી એક વાર રોષે ભરાયેલા લોકો કામણ ખાતે આજે રસ્તારોકો આંદોલન કરવાના છે.



