Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વેસ્ટર્ન રેલવે શુક્રવાર સુધી કચ્છની ટ્રેનો અમદાવાદ સુધી જ દોડાવશે

વેસ્ટર્ન રેલવે શુક્રવાર સુધી કચ્છની ટ્રેનો અમદાવાદ સુધી જ દોડાવશે

Published : 13 June, 2023 09:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ દિવસોમાં પ્રવાસીઓની કૅન્સલ કરવામાં આવેલી ટિકિટોનું ફુલ રીફન્ડ રેલવે પ્રશાસન તરફથી આપવામાં આવશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ભારતીય હવામાન વિભાગે ગઈ કાલે જણાવ્યું હતું કે ચક્રવાત ‘બિપરજૉય’ ગુરુવારે બપોરે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડા તરીકે ત્રાટકે એવી શક્યતા છે. જેની મહત્તમ પવનની ઝડપ ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચશે. જેને પરિણામે કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ અને મોરબીના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સત્તાવાળાઓએ દરિયાની નજીક રહેતા લોકોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું હતું અને માછીમારીની પ્રવૃત્તિઓ સ્થગિત કરી દીધી હતી તેમ જ બંદરો પર ચેતવણીના સંકેતો ફરકાવ્યા હતા. આની સાથે વેસ્ટર્ન રેલવેએ પણ સાવચેતીના પગલારૂપે મુંબઈથી કચ્છ તરફ જતી બધી જ એક્સપ્રેસ ટ્રેનોને શુક્રવાર ૧૬ જૂન સુધી રદ કરવાની જાહેરાત કરી છે. ગઈ કાલે મુંબઈથી કચ્છ જવા નીકળી ગયેલી સયાજી નગરી એક્સપ્રેસ (ટ્રેન નંબરઃ૨૦૯૦૭) તથા કચ્છ એકસપ્રેસ (ટ્રેન નંબરઃ૨૨૯૫૫)ને અમદાવાદ સુધી જ દોડાવવાનો નિર્ણય કર્યો હતો.  

આ પરિસ્થિતિમાં કચ્છ તરફ જતી બધી જ ટ્રેનોને ૧૬ જૂન સુધી રદ કરવામાં આવી છે. આ માહિતી આપતાં શ્રી કચ્છ પ્રવાસી સંઘના અગ્રણી નીલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવે પ્રશાસન દ્વારા આ નિર્ણય સાવચેતીના પગલારૂપે લેવામાં આવ્યો છે. આ દિવસોમાં પ્રવાસીઓની કૅન્સલ કરવામાં આવેલી ટિકિટોનું ફુલ રીફન્ડ રેલવે પ્રશાસન તરફથી આપવામાં આવશે. આ પરિસ્થિતિમાં શક્ય હોય તો કચ્છ તરફ પ્રવાસ ન કરવાનું કહેવામાં આવ્યું છે.’



નીલેશ શાહે વધુમાં કહ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવેએ અચાનક લીધેલા આ નિર્ણયથી મુંબઈથી હજારો પ્રવાસીઓ કચ્છ જવા ગઈ કાલે નીકળી ગયા હતા, પરંતુ તેમને અમદાવાદ સુધી ટ્રેનો જવાની છે એવા સમાચાર મળતાં તેઓ મુંબઈ પાછા ફરવા માટે વાપી અને વલસાડ જેવાં વચલાં સ્ટેશનો પર ઊતરી ગયાં હતાં.’


આ પ્રવાસીઓ માટે વાપી અને વલસાડમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માહિતી આપતાં નીલેશ શાહે કહ્યું હતું કે ‘આ પ્રવાસીઓ વલસાડમાં હિમાંશુ ગાલા મોબાઈલ નંબરઃ 9427715676, અંબરીષ મોબાઇલ નંબરઃ 9727757212 અને નીલેશ દેઢિયા મોબાઇલ નંબરઃ 9825869900 તથા તીથલ સૅનિટોરિયમ માટે નિકીતા સોની મોબાઇલ નંબરઃ 9638770531નો સંપર્ક કરી શકશે. આ સિવાય પ્રવાસીઓને અગવડ ન પડે એના માટે ધ મુંબઈ ગ્રેન ડીલર અસોસિએશનના પ્રમુખ રમણીક છેડાએ આપેલી માહિતી પ્રમાણે ધ મુંબઈ ગ્રેન ડીલર અસોસિએશન તરફથી વલસાડની તીથલ સૅનેટોરિયમમાં નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 June, 2023 09:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK