Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > યૂક્રેનમાં ફસાયેલા 183 ભારતીય નાગરિકોને લઈને ઍર ઇન્ડિયાની ફ્લાઈટ પહોંચી મુંબઈ

યૂક્રેનમાં ફસાયેલા 183 ભારતીય નાગરિકોને લઈને ઍર ઇન્ડિયાની ફ્લાઈટ પહોંચી મુંબઈ

03 March, 2022 05:39 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ સિલસિલેમાં ઍર ઇન્ડિયાનું વિમાન બુખારેસ્ટથી 183 નાગરિકોને લઈને સવારે લગભગ પાંચ વાગીને 40 મિનિટ પર મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પહોંચ્યું.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે


રોમાનિયાની રાજધાની બુખારેસ્ટમાંથી 183 ભારતીય નાગરિકોને લઈને ઍર ઇન્ડિયાની ફ્લાઈટ ગુરુવારની સવારે મુંબઈ પહોંચી. આ વિમાનમાં એક નવજાત બાળક પણ પ્રવાસ કર્યો હતો. અધિકારીઓએ યૂક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને યૂક્રેનના પોડાશી દેશોના રસ્તે સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે. આ સિલસિલેમાં ઍર ઇન્ડિયાનું વિમાન બુખારેસ્ટથી 183 નાગરિકોને લઈને સવારે લગભગ પાંચ વાગીને 40 મિનિટ પર મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પહોંચ્યું.

ઍરપૉર્ટ પર ભારતીય નાગરિકોનું સ્વાગત કરવા માટે કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રાવ સાહેબ દનવે પાટિલ ઊભા હતા. તેમણે કહ્યું કે અત્યાર સુધી લગભગ ચારથી પાંચ હજાર ભારતીય નાગરિક સુરક્ષિત પાછા આવ્યા છે.



ઍરપૉર્ટની બહાર તેમના પરિવારજનો, સંબંધીઓ તેમજ મિત્રોએ તેમનું સ્વાગત કરવું, જે અડધી રાતથી જ તેની રાહ જોતાં હતા.


છેલ્લા છ દિવસે યૂક્રેનમાં ફસાયેલા નાગરિકોને લઈને મુંબઈ પહોંચેલું ત્રીજું વિમાન છે. આ અઠવાડિયે હજી પણ ફ્લાઇટનું સંચાલિત કરવામાં આવી શકે છે.

શુક્રવારને સવારે એક વાગીને 50 મિનિટે પર બુખારેસ્ટથી અને તે જ દિવસે આઠ વાગ્યે હંગરી રાજધાની બુડાપેસ્ટથી વિમાન મુંબઈ પહોંચશે.


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2022 05:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK