Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આચાર્ય ભગવંત શ્રી વિદ્યાસાગરજી મહામુનિમહારાજે સમાધિ લીધી

આચાર્ય ભગવંત શ્રી વિદ્યાસાગરજી મહામુનિમહારાજે સમાધિ લીધી

Published : 19 February, 2024 07:13 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

છત્તીસગઢના ચંદ્રગિરિ તીર્થમાં ગઈ કાલે હજારો અનુયાયીઓની હાજરીમાં થયા અંતિમ સંસ્કાર

આચાર્ય ભગવંત શ્રી વિદ્યાસાગરજીને પગે લાગતા નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર.

આચાર્ય ભગવંત શ્રી વિદ્યાસાગરજીને પગે લાગતા નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર.


દિગંબર જૈન સમાજના આચાર્ય ભગવંત શ્રી વિદ્યાસાગરજી મહામુનિમહારાજ ગઈ કાલે મોડી રાતના ૨.૩૦ વાગ્યે છત્તીસગઢના ડોંગરમઢમાં આવેલા ચંદ્રગિરિ તીર્થમાં કાળધર્મ પામ્યા હતા. ગઈ કાલે બપોરે બે વાગ્યે તેમની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. તેમના કાળધર્મના સમાચારથી જૈન સમાજ સહિત દેશભરના અનુયાયીઓ શોકગ્રસ્ત બની ગયા હતા. આચાર્યશ્રી છેલ્લા થોડા દિવસોથી બીમાર હતા. બે દિવસથી તેમણે અન્નજળનો ત્યાગ કર્યો હતો. તેઓ અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી ચૈતન્ય અવસ્થામાં હતા. મંત્રોચ્ચાર કરતાં-કરતાં તેમણે દેહત્યાગ કર્યો હતો. સમાધિ પામ્યા એ સમયે તેમની પાસે પૂજ્ય મુનિશ્રી યોગસાગરજી મહારાજ, શ્રી સમતાસાગરજી મહારાજ, શ્રી પ્રસાદસાગરજી મહારાજ તેમ જ સંઘના હજારો લોકો હાજર હતા. દેશભરના તેમના અનુયાયીઓએ ગઈ કાલે તેમના સન્માનમાં તેમનાં પ્રતિષ્ઠાન બંધ રાખ્યાં હતાં.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

19 February, 2024 07:13 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK