ઈસ્ટર્ન ફ્રીવેના સર્વિસ રોડને પહોળો કરવા માટે ૩૮૨ ઝાડ વચ્ચે આવે છે એ પૈકી ૩૧૬ ઝાડ કાપવામાં આવશે અને ૬૬ ઝાડનું પુનર્વસન કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં રોડને પહોળો કરવા તેમ જ રેલવેલાઇનના કામ માટે આશરે ૪૫૦ ઝાડને કાપવામાં આવશે. ઈસ્ટર્ન ફ્રીવેના સર્વિસ રોડને પહોળો કરવા માટે ૩૮૨ ઝાડ વચ્ચે આવે છે એ પૈકી ૩૧૬ ઝાડ કાપવામાં આવશે અને ૬૬ ઝાડનું પુનર્વસન કરવામાં આવશે. બીજી તરફ ગોરેગામ-બોરીવલી છઠ્ઠી રેલવેલાઇન માટે મલાડ-પૂર્વ અને પશ્ચિમમાં પણ અનુક્રમે ૧૩૦ અને ૨૨૭ ઝાડ વચ્ચે આવે છે. આ માટેનો પણ એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે, પણ એવું માનવામાં આવે છે કે આ પ્રસ્તાવમાં પ્રિન્ટિંગ-મિસ્ટેકને કારણે ૧૩૦ ઝાડ કાપવાનું જ બતાવવામાં આવ્યું છે. કાંદિવલીના લાલજીપાડામાં પ્રસ્તાવિત પુલ માટે ૪ ઝાડ કાપવામાં આવશે. આ સિવાય વડાલામાં ભક્તિપાર્કથી જીજામાતા ચોક સુધીના સર્વિસ રોડને આશરે ૬૫ કરોડ રૂપિયાના ખર્ચે ૪૦ મીટરથી વધારીને ૬૦ મીટરનો બનાવવામાં આવશે અને એના માટે પણ અમુક ઝાડનું નિકંદન કાઢવામાં આવશે.