Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં રોડ અને રેલવેના પ્રોજેક્ટ માટે ૪૫૦ ઝાડ કાપવામાં આવશે

મુંબઈમાં રોડ અને રેલવેના પ્રોજેક્ટ માટે ૪૫૦ ઝાડ કાપવામાં આવશે

30 April, 2024 10:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈસ્ટર્ન ફ્રીવેના સર્વિસ રોડને પહોળો કરવા માટે ૩૮૨ ઝાડ વચ્ચે આવે છે એ પૈકી ૩૧૬ ઝાડ કાપવામાં આવશે અને ૬૬ ઝાડનું પુનર્વસન કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં રોડને પહોળો કરવા તેમ જ રેલવેલાઇનના કામ માટે આશરે ૪૫૦ ઝાડને કાપવામાં આવશે. ઈસ્ટર્ન ફ્રીવેના સર્વિસ રોડને પહોળો કરવા માટે ૩૮૨ ઝાડ વચ્ચે આવે છે એ પૈકી ૩૧૬ ઝાડ કાપવામાં આવશે અને ૬૬ ઝાડનું પુનર્વસન કરવામાં આવશે. બીજી તરફ ગોરેગામ-બોરીવલી છઠ્ઠી રેલવેલાઇન માટે મલાડ-પૂર્વ અને પશ્ચિમમાં પણ અનુક્રમે ૧૩૦ અને ૨૨૭ ઝાડ વચ્ચે આવે છે. આ માટેનો પણ એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે, પણ એવું માનવામાં આવે છે કે આ પ્રસ્તાવમાં પ્રિન્ટિંગ-મિસ્ટેકને કારણે ૧૩૦ ઝાડ કાપવાનું જ બતાવવામાં આવ્યું છે. કાંદિવલીના લાલજીપાડામાં પ્રસ્તાવિત પુલ માટે ૪ ઝાડ કાપવામાં આવશે. આ સિવાય વડાલામાં ભક્તિપાર્કથી જીજામાતા ચોક સુધીના સર્વિસ રોડને આશરે ૬૫ કરોડ રૂપિયાના ખર્ચે ૪૦ મીટરથી વધારીને ૬૦ મીટરનો બનાવવામાં આવશે અને એના માટે પણ અમુક ઝાડનું નિકંદન કાઢવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK