Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ડબ્લ્યુએચઓએ ચીનને કહ્યું કે કોરોનાના ખરા આંકડા આપો

ડબ્લ્યુએચઓએ ચીનને કહ્યું કે કોરોનાના ખરા આંકડા આપો

23 December, 2022 11:36 AM IST | Geneva
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડબ્લ્યુએચઓના એક્સપર્ટ્સનું માનવું છે કે ચીન તરફથી ડેટા પૂરો પાડવામાં આવતો નથી

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (સૌજન્ય : આઇસ્ટૉક)

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (સૌજન્ય : આઇસ્ટૉક)


જિનીવા : વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ચીનને કોરોનાની મહામારીના વિશ્વસનીય ડેટા પૂરા પાડવા જણાવ્યું છે, જેથી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન આ દેશમાં ઝડપથી ફેલાતી કોરોનાની મહામારીની સ્થિતિ વિશે અંદાજ લગાવી શકે.

ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે જિનીવામાં પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘ખરેખર કેટલું જોખમ છે એનો સંપૂર્ણપણે અંદાજ આવી શકે એના માટે ડબ્લ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન)ને આ મહામારીની તીવ્રતા, હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દરદીઓ તેમ જ આઇસીયુ સપોર્ટ માટેની જરૂરિયાત વિશે વિસ્તૃત જાણકારી જોઈએ છે.’



ડબ્લ્યુએચઓના એક્સપર્ટ્સનું માનવું છે કે ચીન તરફથી ડેટા પૂરો પાડવામાં આવતો નથી, એ સૂચવે છે કે ચીનનું આરોગ્યતંત્ર આ પડકારને પહોંચી વળી શકતું નથી.


કોરોનાના કેર વચ્ચે ચીને નવી ગાઇડલાઇન ઇશ્યુ કરી છે. એ મુજબ હવે માત્ર શ્વાસોશ્વાસને સંબંધીત બીમારીઓથી થયેલાં મૃત્યુની જ કોરોનાથી મોતના આંકડામાં ગણતરી કરવામાં આવશે. એનો અર્થ એ થયો કે કોરોનાના કારણે થનારા મોટા ભાગનાં મોતની ગણતરી હવે નહીં કરવામાં આવે.

જેના વિશે ડબ્લ્યુએચઓના હેલ્થ ઇમર્જન્સી પ્રોગ્રામના વડા માઇક રાયને કહ્યું હતું કે ‘કોવિડ પૉઝિટિવ ટેસ્ટ બાદ શ્વાસોશ્વાસની સમસ્યાના કારણે મોત થાય તો જ એને કોરોનાથી થયેલું મોત ગણવાથી કોવિડના કારણે થતા મોતનું પ્રમાણ ઓછું જ અંકાશે.’


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2022 11:36 AM IST | Geneva | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK