Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Germanyના ચર્ચમાં હુમલાખોરો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, સાત લોકોના મોત, અનેક ઘાયલ

Germanyના ચર્ચમાં હુમલાખોરો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, સાત લોકોના મોત, અનેક ઘાયલ

10 March, 2023 10:04 AM IST | Germany
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જર્મની(Germany)ના હેમ્બર્ગ શહેરમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર (Church Firing) કર્યો હતો, જેમાં લગભગ 7 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


જર્મની(Germany)ના હેમ્બર્ગ શહેરમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં લગભગ 7 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગોળીબાર ઉત્તરી જર્મનીના હેમ્બર્ગ શહેરમાં થયો હતો. પોલીસ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય ચલાવી રહી છે. પોલીસે ટ્વિટર પર કહ્યું, "ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, કેટલાકના મોત પણ થયા છે." તેમણે લોકોને અનુમાન ન કરવા વિનંતી કરતા કહ્યું કે, "આ ક્ષણે ગુનાના હેતુ વિશે કોઈ વિશ્વસનીય માહિતી નથી."

પોલીસે ડિઝાસ્ટર એલર્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ વિસ્તારમાં અત્યંત જોખમ માટે એલાર્મ વગાડ્યું. લોકોને ઘરની બહાર ન નીકળવાની ચેતવણી પણ આપી છે. પોલીસે હુમલાગ્રસ્ત ઈમારત પાસેનો રસ્તો બંધ કરી દીધો છે. સાથે પોલીસે જણાવ્યું હતું કે, અમારી પાસે ગુનેગારના ભાગી જવાના કોઈ સંકેત નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુનેગાર બિલ્ડિંગમાં છુપાયેલો હોઈ શકે છે અથવા તેનું મૃત્યુ થઈ શકે છે.



પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે બિલ્ડિંગની ટોચ પર જોવામાં આવેલો વ્યક્તિ સંભવતઃ ગુનેગાર હતો. આ ત્રણ માળની બિલ્ડીંગમાં ગુરુવારે સાંજે એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો.જ્યારે શહેરના મેયર પીટર ચાંચરે ટ્વિટર પર ફાયરિંગ અંગે શોક વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે ડિસેમ્બર 2016માં બર્લિનના ક્રિસમસ માર્કેટમાં ઈસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા કરાયેલી સૌથી ભયંકર ટ્રક હડફેટે 12 લોકો માર્યા ગયા હતા. જેમાં ટ્યુનિશિયન હુમલાખોર ISIS જૂથનો સમર્થક હતો.


આ પણ વાંચો: Mumbai: લિવ-ઈન પાર્ટનરને જીવતી સળગાવી, 70 ટકા બળ્યું મહિલાનું શરીર, સ્થિતિ ગંભીર

ખાસ કરીને ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ ગઠબંધનમાં તેની સંડોવણીને કારણે યુરોપનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જેહાદી જૂથો માટે લક્ષ્ય બની રહ્યો છે. ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર, 2013 અને 2021 ની વચ્ચે દેશમાં ખતરનાક ગણાતા ઈસ્લામવાદીઓની સંખ્યા પાંચથી વધીને 615 થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2023 10:04 AM IST | Germany | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK