Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આખરે સાળંગપુર હનુમાનજી મંદિરમાંથી વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવાયાં

આખરે સાળંગપુર હનુમાનજી મંદિરમાંથી વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવાયાં

Published : 06 September, 2023 02:58 PM | IST | ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના સત્તાવાળાઓએ આપેલી ખાતરી પાળી બતાવીને પરોઢ થાય એ પહેલાં મધરાતે ભીંતચિત્રો હટાવીને બીજાં ચિત્રો લગાડ્યાં ઃ હનુમાનજીનું વિવાદાસ્પદ ચિત્ર હટાવી લેવાતાં હનુમાનદાદાના ભાવિકોમાં ખુશી ફેલાઈ ગઈ

સાળંગપુરમાં હનુમાનદાદાની વિરાટ પ્રતિમા નીચેથી વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવીને એના સ્થાને બીજાં ચિત્રો લગાડાયાં હતાં.

સાળંગપુરમાં હનુમાનદાદાની વિરાટ પ્રતિમા નીચેથી વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવીને એના સ્થાને બીજાં ચિત્રો લગાડાયાં હતાં.


અમદાવાદ : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામ  સંચાલિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે હનુમાનદાદાને પગે લાગતા દેખાડવાના વિવાદાસ્પદ ભીંતચિત્રને સૂર્યોદય પહેલાં હટાવી લેવામાં આવશે એવી ખાતરી આપ્યા બાદ સાળંગપુર મંદિરના સત્તાવાળાઓએ એ પાળી બતાવી છે અને હનુમાનજીનાં વિવાદાસ્પદ ભીંતચિત્રો સોમવારે મધરાતે હટાવી લીધાં હતાં. હનુમાનદાદાનાં વિવાદાસ્પદ ચિત્રો હટાવી લેવાતાં હનુમાનજીના ભાવિકોમાં ખુશી ફેલાઈ ગઈ હતી અને સનાતન ધર્મના સંતોએ પણ આ બાબતને આવકારી હતી.

સાળંગપુરમાં આવેલા હનુમાનજી મંદિર પરિસરમાં હનુમાનદાદાની વિરાટ પ્રતિમા નીચે મુકાયેલી હનુમાનદાદાની વિવાદાસ્પદ પ્રતિમા હટાવવા માટે સોમવારની મધરાતે કામગીરી હાથ ધરાઈ હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો હતો. વિવાદાસ્પદ ભીંતચિત્રો કાઢતી વખતે પડદા આડા કરી દીધા હતા અને ચિત્રો કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. વિવાદાસ્પદ બે ચિત્રો કાઢી લઈને એના સ્થાને અન્ય ચિત્રો મુકાયાં હતાં.



ઉલ્લેખનીય છે કે સાળંગપુરમાં આવેલા હનુમાનદાદાના મંદિર પરિસરમાં હનુમાનજી પગે લાગતા હોય એવાં વિવાદાસ્પદ ચિત્રો મુકાતાં ભાવિકો અને સનાતન ધર્મના સાધુ-સંતોમાં નારાજગી સાથે રોષ ફેલાયો હતો અને ભારે વિરોધ ઊઠ્યો હતો. સોમવારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ સાળંગપુરના સંતોની બેઠક મળી હતી અને આ વિવાદનો શાંતિથી ઉકેલ લાવવા સમજાવાયા બાદ હનુમાનજીનાં વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2023 02:58 PM IST | ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK