Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગેમ-ઝોનના આરોપીઓનો કેસ નહીં લડે રાજકોટ બાર અસોસિએશન

ગેમ-ઝોનના આરોપીઓનો કેસ નહીં લડે રાજકોટ બાર અસોસિએશન

Published : 28 May, 2024 08:55 AM | IST | Rajkot
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે અગ્નિકાંડના ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા

આરોપીઓ

આરોપીઓ


સૌરાષ્ટ્રના વડા મથક રાજકોટમાં ગેમ-ઝોનમાં બનેલી કાળજું કંપાવતી આગની દુર્ઘટનામાં જીવતા સળગી ગયેલા ૨૮ નિર્દોષ લોકોનાં કમોતથી નાગરિકોનાં કાળજાં હચમચી ગયાં છે ત્યારે રાજકોટ બાર અસોસિએશન આ ઘટનાના આરોપીઓનો કેસ નહીં લડે. બીજી તરફ રાજકોટ પોલીસે ગેમ-ઝોન અગ્નિકાંડના ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
ગેમ-ઝોન અગ્નિકાંડમાં કમકમાટી ઊપજાવે એવી ઘટનામાં ૨૮ નિર્દોષ જિંદગીઓના જીવ આગમાં હોમાઈ જતાં ચારે તરફ અરેરાટી ફેલાઈ ગઈ છે ત્યારે ગઈ કાલે રાજકોટ બાર અસોસિએશને જીવ ગુમાવનારી ૨૮ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપીને ઠરાવ કર્યો હતો કે આ ઘટનાના આરોપીઓ વતી બાર અસો​સિએશનના કોઈ પણ વકીલ કેસ લડશે નહીં. ગુજરાતમાં આવા બનાવો વારંવાર બને છે ત્યારે તંત્રને જગાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમ જ સૌરાષ્ટ્રના કોઈ વકીલ આ આરોપીઓનો કેસ ન લડે એ માટે અપીલ કરી છે.

બીજી તરફ ગઈ કાલે સાંજે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગેમ-ઝોન અગ્નિકાંડના ત્રણ આરોપી  યુવરાજ સિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડને ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કર્યા હતા અને ૧૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કહેવાય છે કે આરોપી યુવરાજ સિંહ સોલંકી કોર્ટમાં રડી પડ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2024 08:55 AM IST | Rajkot | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK