રાજકોટઃક્રાઈમ બ્રાન્ચના ASI જયદીપસિંહનું મોત
જયદીપસિંહ રાણા
રાજકોટના ASI જયદીપસિંહ રાણાનું મૃત્યુ થયું છે. ગઈકાલે મોડી રાત્રે જયદીપસિંહ રાણાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. એક અકસ્માત દરમિયાન જયદીપસિંહ રાણાએ જીવ ગુમાવ્યો.
જયદીપસિંહ રાણા રાજકોટ ક્રાઈમબ્રાંચમાં ફરજ બજાવતા હતા. મળતી માહિતી પ્રમાણે રાજકોટ મોરબી રોડ પર સર્જાયેલા અકસ્માતમાં તેમનું મોત થયું. રાજકોટ-મોરબી રોડ પર કાગડદી ગામના પાટિયા પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતે રાજકોટના ASIનો ભોગ લીધો.