Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ થઈ: NCRBના રિપોર્ટમાં મોટો ખુલાસો

ગુજરાતમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ થઈ: NCRBના રિપોર્ટમાં મોટો ખુલાસો

07 May, 2023 03:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાજ્ય સરકારે 2021માં વિધાનસભામાં આપેલા નિવેદન મુજબ વર્ષ 2018માં, રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંથી 14,004 મહિલાઓ ગુમ થઈ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ (Gujarat Missing Women) થઈ છે. નેશનલ ક્રાઈમ રેકૉર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, વર્ષ 2016માં રાજ્યમાં 7,105, વર્ષ 2017માં 7,712, વર્ષ 2018માં 9,246 અને વર્ષ 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. 2020માં 8,290 મહિલાઓ ગુમ થઈ હોવાનું નોંધાયું હતું. એટલે કે છેલ્લા 5 વર્ષમાં આ સંખ્યા વધીને 41,621 થઈ ગઈ છે.

મીડિયા અહેવાલો અનુસાર, અમદાવાદ અને વડોદરામાં માત્ર એક વર્ષ (2019-20)માં 4,722 મહિલાઓ ગુમ થઈ હતી. રાજ્ય સરકારે 2021માં વિધાનસભામાં આપેલા નિવેદન મુજબ વર્ષ 2018માં, રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંથી 14,004 મહિલાઓ ગુમ થઈ છે. જો કે, તેમાંથી લગભગ 76 ટકા સમાન સમયગાળા દરમિયાન મળી આવી હાઈ. તે વર્ષોમાં, દરરોજ 18 મહિલાઓ ગુમ થતી હોવાનું કહેવાય છે. સૌથી વધુ ગુમ મહિલાઓ અમદાવાદ અને સુરતમાંથી ગુમ થઈ હોવાનું નોંધાયું છે.



ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, પૂર્વ આઈપીએસ અધિકારી અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના સભ્ય સુધીર સિંહાએ કહ્યું કે, “કેટલાક ગુમ થયેલા વ્યક્તિઓના કેસમાં મેં જોયું છે કે છોકરીઓ અને મહિલાઓને ક્યારેક ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. તેમને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાં આવે છે. પોલીસ તંત્રની સમસ્યા એ છે કે તે ગુમ વ્યક્તિઓના કેસોને ગંભીરતાથી લેતી નથી.”


તેમણે ઉમેર્યું કે, “જ્યારે આવા કિસ્સાઓ હત્યા કરતાં પણ વધુ ગંભીર હોય છે. ગુમ થવાના કેસોની તપાસ હત્યાના કિસ્સા જેટલી જ કડક રીતે કરવામાં આવવી જોઈએ. ગુમ થયેલા લોકોના કિસ્સાઓ ઘણીવાર બને છે. પોલીસ દ્વારા અવગણવામાં આવે છે કારણ કે તેમની તપાસ બ્રિટિશ યુગની રીતે કરવામાં આવે છે.”

આ પણ વાંચો: દર્શન સોલંકીના કેસમાં આઇઆઇટી-બૉમ્બેએ વ્યવસ્થિત તપાસ કરી નથી : એસઆઇટી


પૂર્વ અધિક પોલીસ મહાનિર્દેશક ડૉ.રાજન પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, છોકરીઓના ગુમ થવા પાછળ માનવ તસ્કરી જવાબદાર છે. તેમણે કહ્યું કે, “મારા કાર્યકાળ દરમિયાન, મેં જોયું છે કે મોટાભાગની ગુમ થયેલી મહિલાઓને ગેરકાયદેસર માનવ તસ્કરી જૂથો ઉપાડી લે છે, જેઓ તેમને બીજા રાજ્યમાં લઈ જાય છે અને વેચે છે. હું જ્યારે ખેડા જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP) હતો, ત્યારે ઉત્તર પ્રદેશનો એક વ્યક્તિ જે જિલ્લામાં મજૂર તરીકે કામ કરતો હતો, તેણે એક ગરીબ છોકરીને ઉપાડીને તેના મૂળ રાજ્યમાં વેચી દીધી, જ્યાં તે ખેત મજૂર તરીકે કામ કરતી હતી. અમે તેને બચાવવામાં સફળ રહ્યા, પરંતુ ઘણા કિસ્સાઓમાં આવું થતું નથી.”

 

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2023 03:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK