Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અંબાજીના પ્રસાદ પછી પાવાગઢમાં શ્રીફળનો વિવાદ

અંબાજીના પ્રસાદ પછી પાવાગઢમાં શ્રીફળનો વિવાદ

15 March, 2023 10:59 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાવાગઢ મંદિરના સત્તાવાળાઓએ ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે ‘ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવવા માટેનો નિર્ણય અમે કર્યો છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


અમદાવાદ : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદના વિવાદ પછી હવે ગુજરાતમાં આવેલા બીજા શક્તિપીઠ પાવાગઢમાં શ્રીફળનો વિવાદ થયો છે. ભાવિકો હવેથી પાવાગઢમાં ઉપર છોલેલું નારિયેળ નહીં લઈ જઈ શકે એવો નિર્ણય મંદિરના સત્તાવાળાઓએ કર્યો છે. પાવાગઢ મંદિરના સત્તાવાળાઓએ ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે ‘ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવવા માટેનો નિર્ણય અમે કર્યો છે. જે લોકો પાવાગઢમાં ઉપર નારિયેળ લઈને આવે છે તેમણે છોલેલું નારિયેળ નહીં લાવવાનું. એની સામે બે સજેશન કરીએ છીએ કે તમે ચુંદડી અને શ્રીફળ લઈ આવો છો એ શ્રીફળ ચુંદડીમાં ઘરે લઈ જઈને પૂજામાં મૂકી શકો છો અથવા પાણિયારે વધેરી શકો છો. છતાં એમ લાગતું હોય તો દૂધિયા તળાવને બદલે માચી ખાતે ઑફિસ બનાવી છે ત્યાં માતાજીને ધરાવેલું શ્રીફળ સ્વીકારી લઈશું.’


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2023 10:59 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK