Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં બે દિવસ ૭૦૦થી વધુ ડૉક્ટર પક્ષીઓ માટે રહેશે ખડેપગે

ગુજરાતમાં બે દિવસ ૭૦૦થી વધુ ડૉક્ટર પક્ષીઓ માટે રહેશે ખડેપગે

14 January, 2023 08:30 AM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ગુજરાત સરકારના કરુણા અભિયાનમાં ૮ હજાર સ્વયંસેવકો આપશે ઘાયલ અબોલ જીવ માટે સેવા - રાજ્યમાં ૮૬૫ પક્ષી-નિદાન કેન્દ્રો બનાવ્યાં 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર



અમદાવાદઃ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ગુજરાત સરકારના કરુણા-અભિયાનમાં ગુજરાતમાં બે દિવસ ૭૦૦થી વધુ ડૉક્ટર પક્ષીઓ માટે ખડેપગે રહેશે તેમ જ ૮ હજાર સ્વયંસેવકો ઘાયલ અબોલ જીવોની સેવા માટે તહેનાત રહેશે. ઘાયલ પક્ષીઓ માટે રાજ્યમાં ૮૬૫ પક્ષી-નિદાન કેન્દ્રો બનાવ્યાં છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે દસક્રોઈના બિલાસિયા ખાતે વન્યપ્રાણી પુનર્વસન કેન્દ્રનું લોકાર્પણ કરીને કહ્યું હતું કે ‘દરેક જીવની દરકાર એ સરકારનું ઉત્તરદાયિત્વ છે. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કરુણા-અભિયાન છે.’
ગુજરાતમાં મકરસંક્રાંતિ દરમ્યાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા-અભિયાન ચલાવવામાં આવે છે. આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ૨૦ જાન્યુઆરી સુધી કરુણા-અભિયાન ચાલશે. ગુજરાતમાં ૨૦૧૭થી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી ઘાયલ થયેલાં પક્ષીઓને સારવાર માટે દસ દિવસનું કરુણા-અભિયાન હાથ ધરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૭૦ હજારથી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે સરકારે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2023 08:30 AM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK