Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સોમનાથમાં પહેલી વાર ૬૦ ટન રેતીમાંથી બન્યાં શિલ્પ

સોમનાથમાં પહેલી વાર ૬૦ ટન રેતીમાંથી બન્યાં શિલ્પ

Published : 15 February, 2026 08:20 AM | IST | Saurashtra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓડિશાથી આવેલા સૅન્ડ-આર્ટિસ્ટે સોમનાથ મંદિર અને શિવતાંડવની કૃતિઓ બનાવી : સોમનાથમાં વહેલી પરોઢથી દેવાધિદેવની થશે પૂજા-અર્ચના : આજે ૧૩ લાખથી વધુ શિવભક્તો ઘેરબેઠાં કરાવશે બિલ્વપૂજા

રેતશિલ્પ

રેતશિલ્પ


સૌરાષ્ટ્રમાં આવેલા જગવિખ્યાત યાત્રાધામ સોમનાથમાં મહાશિવરાત્રિના પર્વને લઈને પહેલી વાર ૬૦ ટન રેતીમાંથી રેતશિલ્પ બનાવ્યાં છે. ઓડિશાથી આવેલા સૅન્ડ-આર્ટિસ્ટોએ બનાવેલી આ કલાકૃતિઓએ શિવભક્તોમાં આકર્ષણ જમાવ્યું છે. આજે મહાશિવરાત્રિના અવસરે સોમનાથ મંદિરમાં વહેલી પરોઢથી પૂજા-અર્ચના થશે. સોમનાથ મંદિરમાં આજે ૧૩ લાખથી વધુ શિવભક્તોની બિલ્વપૂજા કરવામાં આવશે. 

મહાશિવરાત્રિના પર્વમાં ભગવાન સોમનાથદાદાનાં દર્શન કરવા માટે અગણિત શિવભક્તો ઊમટી રહ્યા છે. સોમનાથમાં ઓડિશાથી આવેલા સૅન્ડ-આર્ટિસ્ટ નારાયણ સાહુ અને તેમની ટીમે બનાવેલી કલાકૃતિઓએ આકર્ષણ જમાવ્યું છે. આ કલાકારોએ રેતશિલ્પના માધ્યમથી તેમની કલાનું પ્રદર્શન કર્યું છે. આ રેતશિલ્પ તૈયાર કરવામાં ૬૦ ટન રેતી અને બેથી ત્રણ હજાર લીટર પાણીનો ઉપયોગ થયો છે. ૩ દિવસમાં જુદાં-જુદાં આર્ટ તૈયાર કરવામાં આવ્યાં છે જેમાં ગણપતિ, શિવ-પાર્વતી અને કાર્તિકેયનાં સ્કલ્પ્ચર્સ, સોમનાથ મંદિર અને શિવતાંડવની કૃતિઓ તૈયાર કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 08:20 AM IST | Saurashtra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK