° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા દ્વારકામાં તૈયાર કરાશે

23 December, 2022 12:17 PM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ગુજરાત બીજેપીએ ચૂંટણી પહેલાં કરેલા સંકલ્પને કરાશે સાકાર : ગુજરાતમાં વિદ્યાર્થીઓને ગીતાજ્ઞાન આપવાની જાહેરાત પણ કરાઈ

સોમનાથ મહાદેવને ચડાવેલાં પીતાંબર ઘેરબેઠાં મેળવી શકાશે

સોમનાથ મહાદેવને ચડાવેલાં પીતાંબર ઘેરબેઠાં મેળવી શકાશે

અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં બીજેપીએ તેના સંકલ્પપત્રમાં દેવભૂમિ દ્વારકા કૉરિડોર બનાવવા અને ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. એને ફળીભુત કરવાની જાહેરાત ગઈ કાલે ગુજરાતની બીજેપી સરકારે કરી હતી અને દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવવાની સાથે-સાથે ગુજરાતમાં વિદ્યાર્થીઓને ગીતાજ્ઞાન આપવાની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે માહિતી આપતાં કહ્યું હતું કે ‘દેવભૂમિ દ્વારકા કૉરિડોર બનાવવાનો સરકારે સંકલ્પ કર્યો છે, જેમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવવામાં આવશે. આ ઉપરાંત થ્રીડી ઇમર્સિવ એટલે કે કાલ્પનિક દુનિયાનો અનુભવ, શ્રીમદ્ ભગવદગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યુઇંગ ગૅલરીના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે અને ફેઝ-વનનું આવતી જન્માષ્ટમી પહેલાં કામ પૂરું કરી શકીએ એ માટે સૂચના આપવામાં આવી છે. આના માટે આયોજન અને ડિઝાઇનનું કામ શરૂ કરવામાં આવશે.’

તેઓએ ગીતાશિક્ષણની વાત કરતાં કહ્યું હતું કે ‘ગીતાનું શિક્ષણ અભ્યાસના માધ્યમથી વિદ્યાર્થીઓના સંસ્કારમાં ઊતરે એ માટે ગીતાશિક્ષણની પણ શરૂઆત કરાશે. એને લગતો અભ્યાસક્રમ તૈયાર થઈ ગયો છે.’

સોમનાથ મહાદેવને ચડાવેલાં પીતાંબર ઘેરબેઠાં મેળવી શકાશે

ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથદાદાને ભક્તિપૂર્વક ચડાવાયેલાં પીતાંબર હવે ઘેરબેઠાં ભાવિકો મેળવી શકશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઑનલાઇન વસ્ત્ર પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે. મહાદેવજીને ચડાવેલાં પીતાંબર, પાર્વતીમાતાજીને ચડાવેલી સાડી અને મંદિરની ધજા ભાવિકો ઑનલાઇન ઑર્ડર કરીને મેળવી શકશે. ભાવિકોએ છેલ્લા ઘણા સમયથી ટ્રસ્ટ પાસે આ સેવાનો લાભ આપવા અનુરોધ કર્યો હતો.

23 December, 2022 12:17 PM IST | Ahmedabad | Shailesh Nayak

અન્ય લેખો

ગુજરાત સમાચાર

કોણ છે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી? જેમણે રાહુલ ગાંધીને અપાવી સજા, જાણો

રાહુલ ગાંધી (Rahul Gandhi)ને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. પરંતુ તમને ખબર છે તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરનાર સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી (Purnesh Modi) કોણ છે? જેણે રાહુલ ગાંધીને સજા અપાવી..

23 March, 2023 03:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત સમાચાર

ચૈત્ર નવરાત્રિના આરંભે મંદિરોમાં માઈભક્તોનો સૈલાબ ઊમટ્યો

અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા, અમદાવાદ સહિતનાં સ્થળોએ આવેલાં માતાજીનાં મંદિરોમાં દર્શન કરવા ભાવિકો ઊમટ્યા, ઘટસ્થાપન સાથે શક્તિની ભક્તિની ઉપાસના શરૂ કરી માઈભક્તોએ

23 March, 2023 10:46 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

ઉનાળામાં કમોસમી વરસાદે ધામા નાખ્યા ગુજરાતમાં : ઉનાળો છે કે પછી ચોમાસું?

સાંજે છ વાગ્યા સુધીમાં રાજકોટમાં સવા ઇંચ, અંજારમાં એક ઇંચ, નખત્રાણા અને જૂનાગઢમાં અડધા ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો : સૌરાષ્ટ્રના કેટલાક માર્કેટ યાર્ડમાં ખેતપેદાશ પલળી ગઈ , ખેડૂતોની ચિંતા વધી ગઈ

23 March, 2023 10:35 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK