Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરતવાળી થવાના ભયે અમદાવાદના ૧૬ ઉમેદવારોને આપ શહેરની બહાર લઈ ગઈ

સુરતવાળી થવાના ભયે અમદાવાદના ૧૬ ઉમેદવારોને આપ શહેરની બહાર લઈ ગઈ

21 November, 2022 09:37 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

અરવિંદ કેજરીવાલે કારણ આપતાં કહ્યું કે ઉમેદવારો સોમનાથમાં ટ્રેઇનિંગ માટે ગયા છે

ફાઇલ તસવીર

Gujarat Election

ફાઇલ તસવીર


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની તારીખ સુધીમાં સુરતવાળી થવાના ભયે અમદાવાદના ૧૬ ઉમેદવારોને આમ આદમી પાર્ટી (એએપી-આપ) શહેરની બહાર લઈ ગઈ હોવાની વાતો ઊઠી છે. જોકે આ મુદ્દે ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે બધા ઉમેદવારો સોમનાથમાં ટ્રેઇનિંગ માટે ગયા છે.

અમદાવાદની ૧૬ બેઠકોના ‘આપ’ના ઉમેદવારો બે દિવસથી નહીં દેખાતાં તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તાજેતરમાં જ સુરતમાં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાના દિવસે તેમનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેતાં કદાચ ‘આપ’ના મોવડી મંડળને ભય લાગ્યો હશે કે અમદાવાદમાં પણ સુરતવાળી ન થાય એટલે અમદાવાદની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની તારીખ પહેલાં ૧૬ ઉમેદવારોને શહેરની બહાર લઈ ગયા છે અને તેમને સેફ કર્યા હોવાની ચર્ચા ઊઠી છે. આ તમામ ઉમેદવારોને ઉમેદવારી પરત ખેંચવાની તારીખ સુધી બહારગામ રખાશે.



આ વિશે અરવિંદ કેજરીવાલને જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે તેઓએ એમ કહ્યું હતું કે સોમનાથમાં તેઓ ટ્રેઇનિંગ માટે ગયા છે અને સૌ સાથે છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2022 09:37 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK