Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારમાં વચ્ચે પડેલા પિતા અને પુત્રની હત્યા

અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારમાં વચ્ચે પડેલા પિતા અને પુત્રની હત્યા

14 November, 2023 12:28 PM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિવાળીના પર્વમાં રવિવારે રાતે અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારમાં વચ્ચે પડેલા પિતા અને પુત્રની હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર



અમદાવાદ ઃ દિવાળીના પર્વમાં રવિવારે રાતે અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારમાં વચ્ચે પડેલા પિતા અને પુત્રની હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઈ હતી. હત્યા કરી દેવાયેલા વ્યક્તિ સાથે આરોપીઓને બે દિવસ પહેલાં માથાકૂટ થઈ હતી અને ફટાકડા ફોડવાના મુદ્દે અન્ય સાથે થયેલા ઝઘડામાં વચ્ચે પડતાં આરોપીઓએ તેના અને તેના પુત્ર પર છરીના ઘા કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે ચાર આરોપીઓ સામે ગુનો નોંધીને તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.
અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીના રસ્તા પર જાહેરમાં રવિવારે રાતે આરોપીઓ દીપક મરાઠી, દીપક પટેલ, બંટી અને મયૂર મરાઠીએ અગાઉના ઝઘડાની અદાવત રાખીને છરીઓ વડે ધિરેનસિંગ અને વિજયશંકર બંસીલાલના શરીરે જીવલેણ ઈજાઓ કરીને મોત નીપજાવી ભાગી જઈને ગુનો કર્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે એલ.જી. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2023 12:28 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK