Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > શક્તિપીઠ અંબાજી પાસે કોટેશ્વર મહાદેવ મંદિરમાં જોધપુરના શિવભક્તે ૧૮ કિલો ચાંદીનું થાળું અર્પણ કર્યું

શક્તિપીઠ અંબાજી પાસે કોટેશ્વર મહાદેવ મંદિરમાં જોધપુરના શિવભક્તે ૧૮ કિલો ચાંદીનું થાળું અર્પણ કર્યું

Published : 05 August, 2025 11:12 AM | IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મંદિરમાં શિવરુદ્ર યજ્ઞ, પૂજન-અર્ચન કરીને શાસ્ત્રોક્ત વિધિથી ચાંદીનું થાળું દેવાધિદેવ મહાદેવના મંદિરમાં જડવામાં આવ્યું હતું.

કોટેશ્વર મહાદેવ મંદિરમાં જોધપુરના શિવભક્તે ૧૮ કિલો ચાંદીનું થાળું અર્પણ કર્યું

કોટેશ્વર મહાદેવ મંદિરમાં જોધપુરના શિવભક્તે ૧૮ કિલો ચાંદીનું થાળું અર્પણ કર્યું


ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી પાસે ડુંગરોની વચ્ચે પ્રકૃતિની ગોદમાં આવેલા અને જ્યાં સરસ્વતી નદીનું ઉદ્ગમસ્થાન છે એવા કોટેશ્વર મંદિરમાં ગઈ કાલે શ્રાવણ માસના સોમવારે રાજસ્થાનના જોધપુરના દિનેશપુરી ગોસ્વામીએ ૨૧ લાખ રૂપિયાની કિંમતનું ૧૮ કિલો વજન ધરાવતું ચાંદીનું થાળું કોટેશ્વર મહાદેવ મંદિરમાં અર્પણ કર્યું હતું. અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મંદિરમાં શિવરુદ્ર યજ્ઞ, પૂજન-અર્ચન કરીને શાસ્ત્રોક્ત વિધિથી ચાંદીનું થાળું દેવાધિદેવ મહાદેવના મંદિરમાં જડવામાં આવ્યું હતું. દાતા પરિવારે કોટેશ્વર ગૌશાળામાં ૧,૦૧,૦૦૧ રૂપિયા અર્પણ કર્યા હતા.  અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ દાનની રકમનો ચેક સ્વીકાર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2025 11:12 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK