Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં બીઆરટીએસ બસમાં આગ, પણ સમયસૂચકતાના લીધે જાનહાનિ નહીં

અમદાવાદમાં બીઆરટીએસ બસમાં આગ, પણ સમયસૂચકતાના લીધે જાનહાનિ નહીં

17 September, 2022 11:03 AM IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બસમાંથી ધુમાડો નીકળતાં જ બસ-સ્ટૅન્ડ પરના સ્ટાફે બસમાં બેઠેલા પચીસ પૅસેન્જરોને ઉતારી દીધા હતા અને આખું બસ-સ્ટૅન્ડ ખાલી કરાવ્યું હતું.

અમદાવાદમાં બીઆરટીએસ બસમાં આગ, પણ સમયસૂચકતાના લીધે જાનહાનિ નહીં

અમદાવાદમાં બીઆરટીએસ બસમાં આગ, પણ સમયસૂચકતાના લીધે જાનહાનિ નહીં


ગુજરાતમાં અમદાવાદમાં ગઈ કાલે સવારે સાડાઆઠ વાગ્યે મેમનગર બસ-સ્ટૅન્ડ પર બીઆરટીએસની બસ અચાનક ભડભડ સળગતાં ભયનું લખલખું ફરી વળ્યું હતું. આ બસ જેવી બસ-સ્ટૅન્ડમાં આવી ત્યારે પહેલાં બસની બ્રેક ડાઉન થઈ હતી અને પછી એન્જિનમાંથી ધુમાડો નીકળ્યો હતો. બસમાંથી ધુમાડો નીકળતાં જ બસ-સ્ટૅન્ડ પરના સ્ટાફે બસમાં બેઠેલા પચીસ પૅસેન્જરોને ઉતારી દીધા હતા અને આખું બસ-સ્ટૅન્ડ ખાલી કરાવ્યું હતું. બીજી તરફ બસ સળગી ઊઠી હતી. બસ સળગી ઊઠી, પણ પૅસેન્જર સહિતનો સ્ટાફ બસ-સ્ટૅન્ડની બહાર નીકળી જતાં સદ્નસીબે સમયસૂચકતાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર-બ્રિગેડની ટીમે આવીને આગ ઓલવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2022 11:03 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK