Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છમાં નુકસાનથી બચવા બજારો બંધ રાખવા આદેશ

કચ્છમાં નુકસાનથી બચવા બજારો બંધ રાખવા આદેશ

Published : 15 June, 2023 10:52 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અરબ સાગરમાં બિપરજૉય ચક્રવાતી વાવાઝોડું ઉદ્ભવ્યું છે અને અગામી સમય દરમ્યાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને એવી શક્યતા છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

Biporjoy cyclone updates

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


કચ્છ જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારના સંભવિત અસર પામનારાં દયાપર, દોલતપર, પ્રાન્ધ્રો–વર્માનગર, માતાના મઢ, કોટડા જડોદર, નારાયણ સરોવર, નલિયા, કોઠારા, નખત્રાણા ગામોના બજારની તમામ દુકાનો, ગલ્લા, લારીઓ ૧૬ જૂન સુધી બંધ કરવા કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરાએ હુકમ કર્યો છે. અરબ સાગરમાં બિપરજૉય ચક્રવાતી વાવાઝોડું ઉદ્ભવ્યું છે અને અગામી સમય દરમ્યાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને એવી શક્યતા છે. જેને પગલે કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તાર સાથે કચ્છ જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં ઝડપી અને ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની તથા ઊંચાં દરિયાઈ મોજાંઓ ઊછળવાની પ્રબળ શક્યતાઓ હોવાથી આ સમય કચ્છ જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારમાં ભારે વરસાદ અને ચક્રવાતથી જાનમાલને નુકસાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલારૂપે કચ્છ જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારના સંભવિત અસર પામનારાં ગામોમાં બજાર બંધ કરવું જરૂરી બન્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2023 10:52 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK