Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અંબાજીમાં મંદિર ટ્રસ્ટના નવા અંબિકા ભોજનાલયનો પ્રારંભ

અંબાજીમાં મંદિર ટ્રસ્ટના નવા અંબિકા ભોજનાલયનો પ્રારંભ

Published : 02 October, 2025 08:30 AM | IST | Ambaji
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૫૧ દીકરીઓને ભોજનપ્રસાદ કરાવીને દાંતા રોડ પર થયો નિઃશુલ્ક ભોજનાલયનો શુભારંભ

નવા બનેલા ભોજનાલયમાં મહાનુભાવોએ સૌને ભોજન પીરસ્યું હતું.

નવા બનેલા ભોજનાલયમાં મહાનુભાવોએ સૌને ભોજન પીરસ્યું હતું.


શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગઈ કાલે નવરાત્રિના નોમના દિવસે અંબાજીમાં દાંતા રોડ પર આવેલા દિવાળીબા ગુરુભવન ખાતે ડોમ બનાવીને અંબિકા ભોજનાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એમાં સૌપ્રથમ ૫૧ દીકરીઓને ભોજનપ્રસાદ કરાવીને આ ભોજનાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી અંબિકા ભોજનાલય નિઃશુલ્ક રીતે ચલાવવામાં આવે છે. રોજ અંદાજે આઠ હજારથી વધુ યાત્રાળુઓ વિનામૂલ્ય ભોજનપ્રસાદ લે છે. અંબિકા ભોજનાલયનું હાલનું બિલ્ડિંગ જૂનું થઈ ગયું હોવાથી અને અંબાજી–ગબ્બર કૉરિડોર અંતર્ગત હાલના જૂના ભોજનાલયનું બિલ્ડિંગ ડિમોલિશ કરવામાં આવશે એટલે અંબાજી આવતા માઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દાંતા રોડ પર ભોજનાલયની શરૂઆત કરવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2025 08:30 AM IST | Ambaji | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK