દેવાધિદેવ મહાદેવજીના શિવલિંગ બાબતે સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર અમદાવાદ સ્થિત એઆઇએમઆઇએમના નેતા દાનિશ કુરેશીની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે.
દાનિશ કુરેશી
અમદાવાદ ઃ દેવાધિદેવ મહાદેવજીના શિવલિંગ બાબતે સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર અમદાવાદ સ્થિત એઆઇએમઆઇએમના નેતા દાનિશ કુરેશીની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. આવી હરકતથી હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે.
સાઇબર ક્રાઇમના અધિકારીએ મીડિયાને કહ્યું હતું કે ‘દાનિશ કુરેશીએ ટ્વિટર હૅન્ડલ પરથી અમુક હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ભાષામાં લખાણ લખ્યું હતું એના આધારે ટ્વિટર હૅન્ડલનાં ટેક્નિકલ ઍનૅલિસિસ કરીને દાનિશ કુરેશીની ધરપકડ કરી છે. આવું તેણે શા માટે કર્યું એ વિશે તપાસ કરી રહ્યા છીએ.’
વિશ્વ હિન્દુ પરિષદે આની સામે વિરોધ ઉઠાવીને નરોડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો કૉન્ગ્રેસે પણ દાનિશ કુરેશી સામે રોષ વ્યક્ત કરીને આ ઘટનાને વખોડી છે.