Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > શિવલિંગના મુદ્દે અશ્લીલ ટિપ્પણી કરનાર એઆઇએમઆઇએમના દાનિશ કુરેશીની ધરપકડ

શિવલિંગના મુદ્દે અશ્લીલ ટિપ્પણી કરનાર એઆઇએમઆઇએમના દાનિશ કુરેશીની ધરપકડ

19 May, 2022 10:22 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેવાધિદેવ મહાદેવજીના શિવલિંગ બાબતે સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર અમદાવાદ સ્થિત એઆઇએમઆઇએમના નેતા દાનિશ કુરેશીની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે.

દાનિશ કુરેશી

દાનિશ કુરેશી


 
અમદાવાદ ઃ દેવાધિદેવ મહાદેવજીના શિવલિંગ બાબતે સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર અમદાવાદ સ્થિત એઆઇએમઆઇએમના નેતા દાનિશ કુરેશીની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. આવી હરકતથી હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે.
સાઇબર ક્રાઇમના અધિકારીએ મીડિયાને કહ્યું હતું કે ‘દાનિશ કુરેશીએ ટ્વિટર હૅન્ડલ પરથી અમુક હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ભાષામાં લખાણ લખ્યું હતું એના આધારે ટ્વિટર હૅન્ડલનાં ટેક્નિકલ ઍનૅલિસિસ કરીને દાનિશ કુરેશીની ધરપકડ કરી છે. આવું તેણે શા માટે કર્યું એ વિશે તપાસ કરી રહ્યા છીએ.’
વિશ્વ હિન્દુ પરિષદે આની સામે વિરોધ ઉઠાવીને નરોડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો કૉન્ગ્રેસે પણ દાનિશ કુરેશી સામે રોષ વ્યક્ત કરીને આ ઘટનાને વખોડી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2022 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK