Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આજે અમદાવાદમાં જગન્નાથજીની જળયાત્રા

આજે અમદાવાદમાં જગન્નાથજીની જળયાત્રા

Published : 14 June, 2022 09:04 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોરોનાને કારણે બે વર્ષ ભાવિકો જોડાઈ શક્યા નહોતા, જેથી આજે રંગેચંગે યોજાનારી યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ગુજરાતમાં અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરેથી આજે ભગવાન જગન્નાથજીની રંગેચંગે જળયાત્રા યોજાશે. કોરોનાના કારણે બે વર્ષ દરમ્યાન ભાવિકો આ જળયાત્રામાં જોડાયા નહોતા, પણ આ વખતે હજારો ભાવિકો ઉત્સાહભેર જળયાત્રામાં જોડાશે.


જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંદિરેથી સવારે આઠ વાગ્યે જળયાત્રા નીકળશે અને સાબરમતી નદીએ જશે. નદીએ પૂજન થશે અને ૧૦૮ કળશમાં જળ ભરીને લાવવામાં આવશે અને આ જળથી મંદિરમાં ભગવાન પર અભિષેક કરાવાશે. મંદિરમાં પૂજા-અર્ચના થશે અને ત્યારબાદ પ્રભુ મોસાળ જશે.’



તેઓએ કહ્યું હતું કે ‘દર વર્ષે જળયાત્રા તો યોજાય છે પરંતુ કોરોનાના કારણે છેલ્લાં બે વર્ષથી આ જળયાત્રામાં ભાવિકો જોડાઈ શકતા નહોતા, પરંતુ બે વર્ષ પછી આ વખતે જળયાત્રામાં અંદાજે ચારથી પાંચ હજાર ભાવિકો જોડાશે.’


મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું હતું કે ‘આ વખતે ધામધૂમથી અને પરંપરાગત રીતે જળયાત્રા મહોત્સવ ઊજવાશે. આ જળયાત્રામાં રથ, હાથીઓ ઉપરાંત બળદગાડું પણ જોડાશે. નિશાન ડંકા, ધજા-પતાકા સાથે ભક્તસમુદાય પણ જોડાશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2022 09:04 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK